પંજાબ સીએમ અમરિન્દર સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે 9.30 થી 10 દરમિયાન મુલાકાત કરશે. કેપ્ટન અમરિંદર સિંહ સવારે આઠ વાગ્યે રાજધાની ચંડીગઢથી દિલ્હી જવા રવાના થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂત નેતાઓ સાથે મળશે
પંજાબ સીએમ અમરિન્દર સિંહ સાથે મળશે ગૃહ પ્રધાન
ખેડૂત આંદોલનના મુદ્દે થઈ શકે છે વાતચીત
નોંધનીય છે કે પંજાબ સીએમ અમરિન્દર સિંહે આ પહેલા પણ ગૃહમંત્રી અમિત શાહ પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો, જો કે અમિત શાહની તબિયત ખરાબ હોવાથી તેઓ પહેલા મળી શક્યા નહોતા, જેને લઈને હવે મુલાકાત ગોઠવાઈ છે.
કેન્દ્રે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ થઈ રહ્યું છે આંદોલન
મહત્વ નું છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ સામે ખેડૂતો નું આંદોલન ચાલુ છે. દિલ્હી બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. તેઓ કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ કાયદાઓને ખેડૂતો કાળો કાયદો ગણાવી રહ્યા છે.
તે જ સમયે, સરકાર ખેડૂતો ને મનાવવામાં વ્યસ્ત છે. લાંબી લડત બાદ મંગળવારે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત થઈ. જો કે, આ વાતચીત સફળ રહી હતી અને ફરી એકવાર સરકાર અને ખેડૂતો ની ગુરુવારે મીટિંગ થનાર છે. આ ચોથા તબક્કાની વાતચીત હશે. આજે યોજાનારી આ વાતચીત પર દરેકની નજર રહેશે.
ખેડૂત આંદોલનને લઈને આ પ્રશ્નો પર થઈ શકે છે નિર્ણય
આજની સભામાં કોઈ પરિણામ આવે છે? શું સરકાર ખેડૂતોને મનાવી શકશે? શું થશે ખેડૂત આંદોલનનું? આંદોલન ચાલુ રહેશે અથવા સરકાર તરફથી કોઈ પણ પ્રકારની ખાતરી મેળવ્યા બાદ તેને સમાપ્ત કરવામાં આવશે. આ બધા પ્રશ્નોના જવાબો આજની સભા દ્વારા મળી શકે છે તેવી સંભાવના રહેલી છે.
અગાઉ, મંગળવારની બેઠકમાં ખેડૂતો સાથેની બેઠક દરમિયાન સરકારે કૃષિ કાયદાઓની ચર્ચા કરવા સમિતિની રચના કરવા સૂચન કર્યું હતું, પરંતુ ખેડૂતોએ આ દરખાસ્તને નકારી કાઢી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત સંગઠનોને 4 થી 5 નામો આપવા જણાવ્યું હતું. જેમાં સરકારના માણસો, ખેડૂત અગ્રણીઓ, કૃષિ નિષ્ણાતો વગેરેને સામેલ કરવાની વાત થઈ હતી.
જો કે સરકારની આ દરખાસ્તને ખેડૂતો એ ઠુકરાવી દીધી હતી. આ પહેલા સરકાર દ્વારા MSP અને આ APMC એક્ટ અંગે ખેડૂત પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જો કે ખેડૂત નેતાઓ અડગ રહ્યા હતા અને કેન્દ્રે પાસ કરેલા કાયદાઓને પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે.