બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત 9 સપ્ટેમ્બરે મુંબઇ જવાની છે, જેનુ એલાન કંગનાએ પોતે જ સોશ્યલ મિડીયા દ્વારા કર્યુ હતુ. હવે એવુ લાગી રહ્યું છે કે કંગના કહ્લુ કરી બતાવશે. કારણકે થોડા સમય પહેલા જ કંગના તેના ઘરેથી મંડી જવા રવાના થઇ છે.
કંગના 9 તારીખે આવશે મુંબઇ
સિક્યોરીટી સાથે કંગના આવશે મુંબઇ
કુળદેવી તેમજ માતા-પિતાના લેશે આશીર્વાદ
કુળદેવીનો લેશે આશીર્વાદ
સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કંગના આવતીકાલે ચંડીગઢથી મુંબઇ રવાના થશે. મંડીમાં કંગના તેના માતા-પિતાના ઘરે પણ જાય તેવી શક્યતા છે. એવા સમાચાર છે કે કંગના માતા પિતાને મળીને કુળદેવીના આશીર્વાદ લેવાની છે.
સંજય રાઉત સાથે ટ્વિટર વૉર
કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત તેમજ શિવસેના સાથે જોડાયેલા દિગ્ગજ નેતાઓએ કંગના વિરોધી મુહિમ ચલાવી છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે કંગના જ્યારે મુંબઇ પરત આવે ત્યારે તેને કોરંટાઇન કરવામાં આવી શકે છે.
BMCનો નિયમ
મુંબઇ બીએમસીના કોવિડ-19ના નિયમ અનુસાર એરલાઇનથી મુંબઇમાં દખલ થયેલા દરેક વ્યક્તિને હોમ કોરંટાઇન કરવામાં આવશે. કંગના જ્યારે ઘરે પરત ફરશે ત્યારે તેમને 14 દિવસ માટે કોરંટાઇન કરવામાં આવશે. આવુ ત્યારે પણ થયુ હતુ જ્યારે સુશાંત કેસની તપાસ કરવા માટે બિહારના આઇપીએસ અધિકારી મુંબઇ આવ્યા હતા.
હિમાચલ પોલિસને આપવી પડશે અરજી
કંગના જો 7 દિવસથી વધારે મુંબઇ રહેવાની હશે તો તેના હાથ પર સ્ટેમ્પ લગાવીને તેને કોરંટાઇન કરી દેવામાં આવશે, આટલુ જ નહી હિમાચલ પોલિસ જો કંગના સાથે આવે છે તો તેમને કોરંટાઇન ન કરવામાં આવે તે બાબતે અરજી આપવી પડશે.