સુરેશ રૈનાએ 19 બોલમાં અર્ધશતક લગાવ્યા બાદ તેણે ઈનિંગને આગળ વધારતા 46 બોલમાં સદી પૂરી કરી. જે ઈનિંગમાં તેણે 11 ચોકા અને 7 સિક્સર ફટકારીને નોટઆઉટ 104 રન બનાવ્યા હતા.
સંન્યાસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો રૈના
લાંબા સમયબાદ રૈનાનાં બેટમાંથી સદી નીકળી
46 બોલમાં સદી ફટકારી ટીમને જીત અપાવી
રૈનાએ બેટીંગ ફોર્મ પરત મેળવ્યું
ઈન્ડિય પ્રિમિયર લીગ 2021 પહેલા ચેન્નાઈ સુપરકિંગ્સનાં સ્ટાર પ્લેયર સુરેશ રૈનાએ તાબડતોડ બેટીંગ કરીને ફોર્મ પરત મેળવ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ શતકીય ઈનિંગ રમીને નિઝાવન વોરિયર્સે ટી-20 મેચમાં ટાઈટન્સ જેડએક્સ સામે જીત મેળવી હતી.
230 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
હરિયાણાનાં ગુરુગ્રામમાં રમાયેલ આ મેચમાં નિઝાવન વોરિયર્સને 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પ્રશાંત ભંડારી અને અંકુશ નિઝાવને ઈનિંગની શરુઆત કરી. પ્રશાંત ભંડારીએ 27 બોલમાં 65 રન બનાવ્યા. જ્યારે અંકુશ નિઝાવને 17 બનાવ્યા. અંકુશ નિઝાવન આઉટ થયા બાદ બેટીંગ કરવા સુરેશ રૈના આવ્યો અને તેણે શાનદાર ઈનિંગ રમી. રૈનાએ 16 બોલમાં અર્ધશતક ફટકાર્યું અને તે ઈનિંગને આગળ ધપાવતા 46 બોલમાં તેણે શતક પૂરું કર્યું. રૈનાએ તેની ઈનિંગમાં 11 ચોકા અને 7 સિક્સર ફટકારીને 104 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો
તે અગાઉ સુરેશ રૈનાએ બોલિંગમાં પણ જોરદાર દેખાવ કર્યો હતો. ઓફ સ્પિનર રૈનાએ 27 રન આપીને એક વિટેક પણ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રૈના ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રેફીમાં ઉત્તર પ્રદેશની ટીમમાં તે વરિષ્ઠ ખેલાડીઓઓમાંથી એક હતો.
સીએસકેએ રૈનાને રિટેન કર્યો
રૈનાએ પંજાબ સામે 50 બોલમાં નોટઆઉટ 56 રન બનાવવાની સાથે તેનાં ફોર્મની શરુઆત થઈ હતી. જોકે તેની પહેલાની ચાર મેચમાં તે બે અંકનાં સ્કોર સુધી નહોતો પહોંચી શક્યો. સુરેશ રૈનાનાં બેટથી રન નીકળ્યે ઘણો વખત થઈ ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2021 માટે સુરેશ રૈનાને રિટેન કર્યો છે. રૈનાની શતકથી ચેન્નાઈ સુપર કિંગ્સે રાહતનાં શ્વાસ લીધા હશે.