બોલિવુડના 'દબંગ' ખાન સલમાન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ હાલમાં ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલીના ડિરેક્શનમાં બનનારી ફિલ્મમાં હવે સલમાને કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
જી હા, સલમાન ખાન તથા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી લાંબા સમય બાદ ‘ઈન્શાઅલ્લાહ’માં કામ કરવાના હતાં. સલમાન ખાન અને આલિયા ભટ્ટ પહેલી વખત આ ફિલ્મમાં સાથે જોવા મળવાના હતા. સૂત્રોનુસાર, શૂટિંગ શરૂ થયાના તેના 3 દિવસ પહેલાં જ ‘ઈન્શાઅલ્લાહ’ નહીં બને તેવો નિર્ણય લેવામાં આવ્યો અને સલમાન ખાને પ્રોજેક્ટ છોડી દીધો હોવાની વાત ચાલી રહી છે. સલમાન ખાન તથા ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હોવાને કારણે આ ‘ઈન્શાઅલ્લાહ’ બંધ કરવામાં આવી છે.
જોકે આ પહેલી વખત નથી જ્યારે સલમાન ખાન અને સંજલ લીલા ભણસાલીની વચ્ચે કોઇ ફિલ્મને લઇને વિવાદ થયો હોય. વાસ્તવમાં ‘ઈન્શાઅલ્લાહ’ પહેલા ફિલ્મ 'ખામોશી: ધ મ્યૂઝિકલ' અને 'હમ દિલ દે ચૂકે સનમ' ને લઇને સલમાન-સંજય વચ્ચે મતભેદ થયા બહતા. ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ' માં સલમાન ખાન ઇચ્છતો હતો કે ફિલ્મના અંતમાં નંદિની ( ઐશ્વર્યા રાય) તેને મળે, જોકે સંજય લીલા ભણસાલીએ ફિલ્મમાં કોઇ પ્રકારનો બદલાવ ના કર્યો, જે સલમાન ખાનને પસંદ ન હતો આવ્યો.
કંઇ આવુ ફરી જોવા મળ્યુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારિશ'માં. આ ફિલ્મમાં સંજય લીલા ભણસાલી પહેલા સલમાનની સાથે ઐશ્વર્યાને કાસ્ટ કરવા માટે ઇચ્છતા હતા પરંતુ કોઇ રીતે આ શક્ય ના થયું. આ પછી સંજય લીલા ભણસાલીએ ફિલ્મ રિતિક રોશન સાથે બનાવી. પરંતુ સલમાનને આ વાત પણ પસંદ ના આવી. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં 'ગુઝારિશ' ને લઇને એક કહ્યુ કે, ''અરે તેમાં તો માખીઓ ઉડી રહી હતી, પરંતુ મચ્છર પણ ફિલ્મ જોવા ન હતો ગયો. ત્યાં સુધી કે કોઇ કૂતરુ પણ ના ગયુ.''
રિપોર્ટ અનુસાર, સલમાન ખાન ‘ઈન્શાઅલ્લાહ’માં થોડી વધારે દખલગીરી કરતો હતો, જે સંજય લીલા ભણસાલીને પસંદ ન હતુ. આ સિવાય સલમાન ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે ડેઇઝી શાહ અને વસુલ્યા ડિસોઝાને લેવા માગતો હતો પરંતુ તેના માટે સંજય લીલા ભણસાલી બિલ્કુલ તૈયાર ના હતા, જેથી બંનેએ આ પ્રોજેક્ટ પર કામ ના કરવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રોજેક્ટ બંધ થવાની બંનેના સંબંધોમાં કોઈ જાતની કડવાશ આવી નથી. ભણશાલી હજી પણ સલમાનને પહેલાં જેટલો જ પ્રેમ કરે છે. બંને આજે પણ મિત્ર છે.