પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ સ્વતંત્ર દેશને નવી દિશા આપવામાં ન ફક્ત પોતાનું અમિટ યોગદાન આપ્યુ પણ સ્વતંત્રતાથી પહેલા પણ 6 વર્ષની ઉંમરમાં તેમનું નામ ઈતિહાસમાં નોંધાઈ ચુક્યુ હતુ. આ વાત તેમના પૈતુક ગામ સાથે જોડાયેલી છે. તેમના ગામમાં અવજ્ઞા આંદોલન સાથે જોડાયેલી યાદો આજે પણ તાજી છે.
અટલ બિહારી વાજપેયીનું જન્મ સ્થળ વર્ષ 1924માં ગ્વાલિયર હતુ પણ તેમનું પૈતૃક ગામ આગરા જિલ્લાનું બટેશ્વરમાં છે. તે 6 વર્ષની ઉંમરમાં પોતાના ગામમાં આવ્યા હતા. આ દરમ્યાન સવિનય અવજ્ઞા આંદોલનની હવા ચારે બાજુ હતી. આંદોલન દરમ્યાન અહીં જંગલાઈટ કોઠી (અંગ્રોજોનું વન વિભાગનું કક્ષ) મવેશી અને ડાકઘરોને ક્રાંતિકારિઓએ નિશાન બનાવ્યુ હતુ. અહીં જમા સરકારી ખજાનાઓ પર કબ્જો કર્યો કેમકે તે જ સ્થાનેથી અંગ્રેજ રાજસ્વ એકત્રિત કરતા હતા.
જંગલાઈટ કોઠીના રસ્તામાં અંગ્રેજ સૈનિકોને અટલ બિહારી વાજપેયી મળી ગયા. તેમને સ્ટેશને લઈ ગયા અને લેખિતમાં નિવેદન લેવાયું હતુ. નિવેદન નોંધાવતી વખતે તેમની ઉંમર 6 વર્ષ જ લખવામાં આવી હતી. તેમાં અટલજીએ એક કાકાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેના આધારે સમગ્ર ગામમાં કલેક્ટ્રી ફાઈન લગાવવામાં આવી. આ નિવેદન ઉર્દુ અને ફારસીમાં નોંધવામાં આવ્યુ હતુ. આ મામલે લાંબા સમય સુધી પૂછપરછ અને તપાસ ચાલતી રહી. તેમની નાની ઉંમરના નિવેદન પર ઘણીવાર રાજનીતિ પણ થઈ.