આજે જ્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર ના પ્રથમ દિવસે 2020-21નું બજેટ રજૂ થશે ત્યારે આ મુદે અમિત ચાવડાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં થયેલા સો કરોડના ખર્ચ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યાં છે અને જણાવ્યું હતું કે. આ કાર્યક્રમથી અને આટલા ખર્ચ બાદ ગુજરાતને શું મળ્યું તો જવાબ જનતા સરકાર પાસે માગીં રહી છે.
બજેટ અગાઉ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન
બજેટમાં રોજગારની વ્યવસ્થા ઉભી થાય
ગુજરાત સરકાર ખોટા ખર્ચા બંધ કરે
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ જનતાના સળગતા પ્રશ્નોને વાચા આપવનું કામ અમે સત્રમાં કરીશું. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સરકાર ખોટા તાયફાઓ, ઉત્સવો કરે છે, સરકાર ખોટા ખર્ચા બંધ કરી દે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે. શિક્ષણ મોંઘુ થતાં લોકો મુશ્કેલીમાં છે.
બજેટને લઇને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે બજેટમાં રોજગારની વ્યવસ્થા ઉભી થાય. સસ્તી આરોગ્ય સેવા મળે તે જરૂરી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે જરૂરી છે.