ભાઈબીજના દિવસે પોરબંદરનો માધવપૂર બીચ જાહેર જનતાના સ્નાન અને પ્રવાસન માટે બંધ રહેશે. જિલ્લા કલેકટરે આ માટે જાહેરનામું બહાર પાડી ફરમાન કર્યું છે. આ પાછળનો ઉદ્દેશ કોરોના સંક્રમણ
પોરબંદરનો માધવપુર દરિયાકિનારો કરાયો બંધ
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય
જિલ્લા મેજિસ્ટ્રેટએ બહાર પાડ્યું જાહેરનામું
દીપાવલીના દિવસો દરમિયાન સહેલાણીઓ આનંદ-પ્રમોદ અને મોજ મજા માટે રમણીય સ્થળોએ નીકળી પડતા હોય છે.બે વર્ષના કોરોના સંક્રમણ કાળ પછી દ્દેવ સ્થાન અને પ્રવાસન સ્થળો એ ભીડ ઉમટવી શરુ પણ થઇ ગઈ છે.ત્યારે, ભાઈબીજના દિવસે પોરબંદરનો માધવપૂર બીચ જાહેર જનતાના સ્નાન અને પ્રવાસન માટે બંધ રહેશે. જિલ્લા કલેકટરે આ માટે જાહેરનામું બહાર પાડી ફરમાન કર્યું છે. આ પાછળનો ઉદ્દેશ એક માત્ર છે કે, મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓ દરિયામાં સ્નાન કરે છે. ભારે ભીડના પરિણામે કોરોના સંક્રમણ નાં ફેલાય તેવા હેતુસર ભાઈબીજના દિવસે દરિયા કિનારે પ્રતિબંધ ફરમાવાયો છે.
અહો ! રમણીયતા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન પોરબંદર છે. પોરબંદરમાં સુંદર દરિયા કિનારો પણ છે અહીના જળાશયો, શાંત દરિયા કિનારો, વન્ય જીવો, સુદામા મંદિર, ભારત મંદિર, રામ મંદિર, કિર્તી મંદિર , માધવપુર ઘેડનો દરિયા કિનારો જેવા અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તો આ જ દરિયાઈ પટ્ટી પર માંગરોળ નાજીલ માધવપૂર (ઘેડ) થી લઇ દ્વ્રાકાની દરિયાઈ પટ્ટી લાંબો દરિયા કિનારો ધરાવે છે. દ્વારકાના શિવરાજપુર બીચે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન સાથે ગુજરાતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા છે.અત્યાર સુધી વણ ઓળખાયેલા,અને લેશમાત્ર પ્રસિદ્ધિ નહિ પામેલા આ શિવરાજપુર બીચને 'બ્લુ ફ્લેગ' બીચનો દરજ્જો મળ્યો છે. બ્લુ ફ્લેગ એટલે દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય તેવો રમણીય દરિયા કિનારો. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખુ પાણી પ્રવાસીઓને અહી લટાર મારવા માટે મજબૂર કરે છે. પરિવાર સાથે મુલાકાત લેવાનું આ એક આદર્શ સ્થળ છે.