લદ્દાખમાં ભારતે ચીનને તેની ભાષામાં જવાબ આપી દીધો અને સામ, દામ, દંડ અને ભેદની નીતિનો ઉપયોગ કર્યો હતો. સૌ પહેલાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખની મુલાકાત લઇ ચીન સહિત સમગ્ર દુનિયાને એક કડક સંદેશ આપી દીધો હતો કે ભારત આ મામલે ઝૂકશે નહીં.
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે અજીત ડોભાલે કમાન સંભાળી
ચીનના વિદેશ મંત્રી સાથે બે કલાક વાતચીત
ચીની સેનાએ સરહદ પર પાછળ હટવાની શરૂઆત કરી
ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ જો ચીન નહીં હટે તો ભારત શું કરી શકે છે તેનો સ્પષ્ટ ચિતાર ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને આપી દીધો હતો અને વાતચીત દરમિયાન અજિત ડોભાલે પૂર્વ લદ્દાખમાં ૧પ૯૭ કિ.મી. લાંબી વાસ્તવિક અંકુશરેખા (એલએસી)ના ચાર પોઇન્ટ પર ભારતીય સેનાના પેટ્રોલિંગ કરવાના અધિકારોને માન્ય રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
આ ઘટના સાથે માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે હજુ પણ જ્યાં સુધી ચીનના સૈનિકોની વાપસી સંપૂર્ણપણે સંપન્ન નહીં થાય ત્યાં સુધી ભારતીય જવાનોથી કોઇ પણ ચૂક થશે નહીં. ભારતીય જવાનોની તહેનાતી જારી જ રહેશે, કારણ કે હજુ પણ કોઇ અણધારી ઘટનાની શકયતા નિવારી શકાય નહીં.
સૂત્રોએ જણાવ્યું હતું કે અજિત ડોભાલ અને વાંગ એ બાબતે સંમત છે કે બંને પક્ષ મડાગાંઠ ધરાવતા પોઇન્ટ પર પેટ્રોલિંગના અધિકાર ધરાવશે, પરંતુ ભવિષ્યમાં કોઇ પણ સંઘર્ષ કે ઘર્ષણથી બચશે, જોકે સરહદી મુદ્દા પર સંયુક્ત સચિવ સ્તરની આ નિર્ણયોનો અમલ કરવા માટે ટૂંક સમયમાં બેઠક યોજાશે.