બિહારમાં નીતિશ કુમારની સાથે સરકારની રચના જઈ રહેલી લાલુપ્રસાદ યાદવની પાર્ટી RJDએ એક મોટું એલાન કર્યું છે.
બિહારમાં હવે JUD-RJD ગઠબંધનની સરકાર રચાશે
સરકારની રચના પહેલા RJDનું મોટું નિવેદન
કહ્યું- 4 લાખ રોજગારી ઊભું કરીશું
અમારી સરકાર બેરોજગાર યુવાનોને પ્રાથમિકતા આપશે
બિહારમાં હવે આગામી સમયમાં JUD-RJD ગઠબંધનની સરકાર રચાશે તે નક્કી છે. સરકારની રચના પહેલા RJDએ એવું જણાવ્યું કે અમારી સરકાર 4 લાખ રોજગારી ઊભી કરશે અને અમે હંમેશા બેરોજગાર યુવાનોને પ્રાથમિકતા આપીશું.
Our government will give first priority to unemployed youth: RJD Sources
4 લાખ રોજગારી ઊભી કરીશું
આરજેડી સૂત્રોએ દાવો કર્યો હતો કે નવી સરકાર 4 લાખ યુવાનોને રોજગારી આપશે.
નવી સરકારમા વિધાનસભા સ્પીકર આરજેડીના હશે
નવી સરકારમાં વિધાનસભા સ્પીકર આરજેડી ક્વોટાના હશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
નીતિશ કુમાર 4 વાગ્યે રાજ્યપાલને મળશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાંજે ચાર કલાકે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને પોતાનું રાજીનામુ સોંપશે. JDUની બેઠકમાં ગઠબંધન તોડવાની જાહેરાત થઈ છે. નીતિશની સાથે તેજસ્વી યાદવ પણ રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળશે. JDU અને BJP સાથે મળીને 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી. ઓછી સીટો મળવા છતાં પણ નીતિશ કુમારને ભાજપે સીએમે બનાવ્યા હતા. ત્યાર જ બંને વચ્ચે થોડો ખટરાગ ચાલી રહ્યો હતો. કેટલાય મુદ્દા પર બંને પાર્ટીના નેતા અલગ અલગ મત ધરાવતા હતા. જો કે, હવે બિહારમાં ભાજપ અને જેડીયૂનું ગઠબંધન તૂટી ગયું છે.
RJDએ કહ્યું- નિર્ણય તેજસ્વી લેશે
આ બાજૂ મહાગઠબંધનની બેઠકમાં આરજેડી ધારાસભ્ય, એમએલસી અને રાજ્યસભા સાંસદોએ તેજસ્વી યાદવ નિર્ણય લેવા માટે અધિકૃત હોવાનું કહ્યું છે. આ દરમિયાન તમામ નેતાઓએ કહ્યું કે, તેઓ તેજસ્વી સાથે છે. આ બાજૂ કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીના ધારાસભ્યો પણ તેજસ્વીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
તેજસ્વી યાદવે માગ્યુ ગૃહ ખાતું
કહેવાય છે કે, નીતિશ કુમારની જેડીયૂ અને રાજદમાં સરકાર ગઠનની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. રાજદ નેતા તેજસ્વી યાદવે ગૃહમંત્રાલય માગ્યું છે. તો વળી તેજ પ્રતાપને પણ સરકારમાં જગ્યા મળી શકે છે.