આવકવેરા વિભાગે કહ્યું કે, કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ એક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
ITRને લઈ આવકવેરા વિભાગે ટ્વિટ કરી આપી માહિતી
કરદાતાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ એક્સેસ કરવામાં મુશ્કેલીઓ
જો તમે આ તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો દંડ થશે
આ વર્ષે, 31 જુલાઈ 2022 સુધીમાં વ્યક્તિગત આવકવેરા ભરનારાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાની રહેશે. જેને લઈ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે આ તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો દંડ પણ લાદવામાં આવી શકે છે.
જો કોઈ વ્યક્તિની આવક કરપાત્ર ન હોય તો પણ તે વ્યક્તિ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આવી વ્યક્તિઓને આવકવેરા રિટર્ન ભરવાના ઘણા ફાયદા પણ મળે છે. જો કે, લોકોને આવકવેરા રિટર્ન ભરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના માટે આવકવેરા વિભાગે પણ પગલા લીધા છે.
It has been noticed that taxpayers are facing issues in accessing ITD e-filing portal. As informed by @Infosys, they have observed some irregular traffic on the portal for which proactive measures are being taken. Some users may be inconvenienced, which is regretted.
આવકવેરા વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, કરદાતાઓને ઇ-ફાઇલિંગ પોર્ટલ ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ પોર્ટલ પરની "અનિયમિત હિલચાલ" ને પહોંચી વળવા "સક્રિય પગલાં" લઈ રહી છે. આવકવેરા વિભાગે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. ઇન્ફોસીસ દ્વારા અહેવાલ મુજબ, તેઓએ પોર્ટલ પર કેટલીક અનિયમિત હિલચાલ જોયા છે, જે તેની સાથે વ્યવહાર કરવા માટે સક્રિયપણે લેવામાં આવી રહી છે.
નોંધનિય છે કે, નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ "www.incomtax.gov.in" 7 જૂન, 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની શરૂઆતથી કરદાતાઓ અને વ્યવસાયિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ફોસિસને 2019માં પોર્ટલ વિકસાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નવી આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલની સ્થાપના માટે સરકારે ઈન્ફોસિસને રૂ. 164.5 કરોડ ચૂકવ્યા છે.