કેસનું અવલોકન કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોન લેનારના પક્ષે સાંભળ્યા વગર તેને ફ્રોડની કેટેગરીમાં ન નાખવા જોઈએ, આ બેંક લોન કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે બેન્કોને ઝટકો આપી અને ફટકાર આપતા કહ્યું છે કેછે. બેંકમાંથી લોન લેનારની વાત સાંભળ્યા વગર જ નિર્ણય લઇ લેવો તે યોગ્ય નથી. આથી જ્યાં સુધી લોન લેનારની વાત સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેના એકાઉન્ટને ડિફોલ્ટ તરીકે પણ દર્શાવવું ન જોઈએ. તેવું જણાવ્યું હતું.
લોન લેનારા લોકોને પણ પોતાની વાત મુકવાની તક આપવી
કેસનું અવલોકન કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોન લેનારના પક્ષે સાંભળ્યા વગર તેને ફ્રોડની કેટેગરીમાં ન નાખવા જોઈએ, આવું કરવાથી ગંભીર પરિણામ આવી શકે છે. આવા ખાતાધારકનું એકાઉન્ટ બ્લેક લિસ્ટ કરવામાં આવશે. જેથી બેન્કોએ છેતરપિંડી અંગેની ગાઈડલાઈનનો અભ્યાસ કરવો જોઈએ. અને લોન લેનારા લોકોને પણ પોતાની વાત મુકવાની તક આપવી જોઈએ. 'ઓડી અલટર્મ પાર્ટમ'ને અનુસરવું જોઈએ, જે ન્યાયનો એક પ્રકાર છે.જેની રુએ કોઈ પણ વ્યક્તિ અથવા લોન લેનાર વ્યક્તિની વાત સાંભળ્યા વિના ડિફોલ્ટર જાહેર કરી શકાશે નહિ, દરેક લોકોની વાત સાંભળવી જોઈએ!
તેલંગાણા હાઇકોર્ટ આપેલા નિર્ણય પર સુનાવણી
આ કેસની સુનવણી દરમિયાન કોર્ટે વધુમાં જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડેલ માર્ગદર્શિકા વાંચવી આવશ્યક છે. ડિફોલ્ડર જાહેર કરતા પહેલા બેંકોએ સ્પષ્ટ કારણો સૂચવવા પડશે. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હીમા કોહલીની અધ્યક્ષતાવાળી બેંચે આજે તેલંગાણા હાઇકોર્ટ આપેલા નિર્ણય પર સુનાવણી હાથ ધરી હતી.