મોત જ છેલ્લુ સત્ય છે તેમ છતાં લોકો તેનાથી ડરે છે અને તે વિશે વધારે ને વધારે જાણવા ઉત્સુક રહે છે.
મૃત્યુ પહેલા દેખાય છે આ સંકેત
પડછાયો દેખાતો બંધ થઇ જાય છે
શિવપુરાણમાં આપ્યા છે આ સંકેત
હંમેશા લોકો તે જાણવા ઇચ્છે છે કે મોત આવે ત્યારે શું થાય છે અને મોત બાદ માણસનું શું થાય છે. તેને લઇને ઘણી શોધ થઇ છે અને સાથે લોકો કેટલાક ક્યાસ પણ લગાવે છે. શિવપુરાણમાં મૃત્યુના સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પડછાયો ન દેખાય
શિવપુરાણ અનુસાર જ્યારે પણ કોઇ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો દેખાતો બંધ થઇ જાય છે અને તેને પાણી, ઘી, અરીસો ક્યાંય પણ પોતાનો પડછાયો દેખાતો નથી.
શરીરમાં આવે છે બદલાવ
જ્યારે વ્યક્તિનું મોઢુ, જીભ, નાક અને કાન કામ કરતુ બંધ કરી દે ત્યારે સમજી લો કે મૃત્યુ નજીક છે. તે સિવાય શરીર સફેદ કે પીળું પડી જવું પણ મોતનો ઇશારો છે.
સૂરજ કાળો દેખાય
જ્યારે વ્યક્તિને સૂર્ય અને ચંદ્ર કાળો દેખાવા લાગે અથવા ચારે તરફ ચમક, લાલ કે કાળા સર્કલ દેખાવા લાગે તો તેના થોડા સમય બાદ તે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે.
આગની રોશની ન દેખાય
જો કોઇ વ્યક્તિને બધુ જ દેખાય પરંતુ આગમાંથી નીકળતી રોશની ન દેખાય તો તેની મૃત્યુ નજીક છે.
કબૂતર માથા પર આવીને બેસે
વ્યક્તિના શરીર પર ગિધ, કાગડો કે કબૂતર બેસે છે તો તેની ઉંમર ઓછી થવાના સંકેત છે. તે સિવાય વ્યક્તિ વાદળી માખીઓથી ઘેરાઇ જાય તો પણ તે મૃત્યુનો સંકેત છે.
સૂર્ય મંડળ
જ્યારે વ્યક્તિની મૃત્યુ નજીક હોય છે ત્યારે તેને ધ્રુવ કે સુર્યમંડળનો કોઇ તારો દેખાતો નથી. તેને રાત્રે ઇન્દ્રધનુષ અને દિવસના અજવાળામાં ઉલ્કા દેખાય છે.