મનીષ સિસોદિયા તેમના સમર્થકો સાથે તેમની કારમાં CBI ની ઓફિસ જવા રવાના થયા હતા અને આ દરમિયાન પાર્ટી સમર્થકોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
મનીષ સિસોદિયાએ તેના સમર્થકો સાથે રોડ શો કર્યો
મનીષ સિસોદિયા CBI ઓફિસ માટે રવાના થઈ ગયા
થઈ શકે છે મનીષ સિસોદિયાની ધરપકડ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે CBI ઓફિસ માટે રવાના થઈ ગયા છે. જણાવી દઈએ કે મનીષ સિસોદિયા તેમના સમર્થકો સાથે તેમની કારમાં CBI ની ઓફિસ જવા રવાના થયા હતા અને આ દરમિયાન પાર્ટી સમર્થકોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે આ વિશે વાત કરતાં એમને કહ્યું હતું કે દેશના હિતમાં તેમને થોડા મહિના જેલમાં રહેવું પડે તો પણ એ જશે.
CBI दफ़्तर जाने के पहले, राजघाट पर बापू का आशीर्वाद लेने आया हूँ | LIVE https://t.co/tnFfqYUCTY
મનીષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે
નોંધનીય છે કે મનીષ સિસોદિયાને 11 વાગ્યે સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચવાનું છે અને ત્યાં પંહોચતા પહેલા મનીષ સિસોદિયાએ તેના સમર્થકો સાથે રોડ શો કર્યો હતો. CBIની પૂછપરછ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આજે સિસોદિયાને પૂછપરછ માટે CBI હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા છે. મને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સિસોદિયાની ધરપકડ થઈ શકે છે. આ ખૂબ જ નિરાશાજનક છે.
ભગત સિંહને દેશ માટે ફાંસી આપવામાં આવી હું તો બસ જેલમાં જઈશ
CBIની પૂછપરછ માટે જતા પહેલા સિસોદિયાએ કહ્યું હતું કે, 'હું આજે ફરી CBIની ઓફિસ જઈ રહ્યો છું અને આ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ સાથે છે. જો દેશ માટે મારે થોડા મહિના જેલમાં રહેવું પડે તો મને વાંધો નથી. દેશ માટે ભગતસિંહ ફાંસીએ ચઢી ગયા હતા, તો મારા માટે આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.
आज फिर CBI जा रहा हूँ, सारी जाँच में पूरा सहयोग करूँगा. लाखों बच्चो का प्यार व करोड़ो देशवासियो का आशीर्वाद साथ है
कुछ महीने जेल में भी रहना पड़े तो परवाह नहीं. भगत सिंह के अनुयायी हैं, देश के लिए भगत सिंह फाँसी पर चढ़ गए थे. ऐसे झूठे आरोपों की वजह से जेल जाना तो छोटी सी चीज़ है
જેલમાં જવું એ અભિશાપ નહીં પણ ગૌરવ છે - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે 'ભગવાન તમારી સાથે છે મનીષ. લાખો બાળકો અને તેમના માતા-પિતાની પ્રાર્થના તમારી સાથે છે. જ્યારે તમે દેશ અને સમાજ માટે જેલમાં જાઓ છો ત્યારે જેલમાં જવું એ અભિશાપ નહીં પણ ગૌરવ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દીથી જેલમાંથી પાછા ફરો. દિલ્હીના બાળકો, માતા-પિતા અને અમે બધા તમારી રાહ જોઈશું.
भगवान आपके साथ है मनीष। लाखों बच्चों और उनके पेरेंट्स की दुआयें आपके साथ हैं। जब आप देश और समाज के लिए जेल जाते हैं तो जेल जाना दूषण नहीं, भूषण होता है। प्रभू से कामना करता हूँ कि आप जल्द जेल से लौटें। दिल्ली के बच्चे, पैरेंट्स और हम सब आपका इंतज़ार करेंगे। https://t.co/h8VrIIYRTz