વાસ્તુ શાસ્ત્ર મુજબ, વ્યક્તિ જે પલંગ પર ઉંઘે છે. તેનું જીવનમાં વિશેષ મહત્વ છે. કારણકે તેનાથી આરોગ્ય અને મન પર વિશેષ પ્રભાવ પડે છે. તેથી તેની સાથે જોડાયેલા વાસ્તુ નિયમનું પાલન કરવુ જરૂરી જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના જાણકાર જણાવે છે કે અમુક ચીજ વસ્તુને પલંગ નીચે ના રાખવી જોઈએ.
પલંગ નીચે અમુક વસ્તુઓ રાખવાથી ઉભો થાય છે વાસ્તુ દોષ
વાસ્તુ દોષ માનસિક આરોગ્યને ક્ષતિ પહોંચાડે છે
વાસ્તુ દોષ ઉત્પન્ન થવાથી અનિંદ્રાની સમસ્યા પણ શરૂ થાય છે
ઈલેક્ટ્રોનિક સામાન
કારણકે પલંગ નીચે અમુક વસ્તુઓ રાખવાથી ઉત્પન્ન થતો વાસ્તુ દોષ સુખ-શાંતિને છીનવી લે છે અને ઘરમાં આર્થિક સંકટ ઉભુ કરે છે. આવો જાણીએ કે પલંગની નીચે કઈ-કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, પલંગની નીચે ઇલેક્ટ્રોનિક સામાન ના રાખવો જોઈએ. તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે માનસિક આરોગ્યને બગાડે છે. આ સાથે અનિંદ્રાની સમસ્યા પણ શરૂ થાય છે.
કપડાંની થેલી
લોકો અવાર-નવાર પોતાના જૂના ફાટેલા કપડાના ઢગલાની થેલી બનાવીને પલંગની નીચે મુકી દે છે. વાસ્તુ મુજબ આ યોગ્ય નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. એટલું જ નહીં, આ વાસ્તુ દોષ ઘરની સુખ-શાંતિને હણી નાખે છે.
કાટવાળું લોખંડ અને પ્લાસ્ટિકની વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, પલંગની નીચે કાટવાળા લોખંડની કોઈ પણ વસ્તુ ના રાખવી જોઈએ. કારણકે તેનાથી ઉત્પન્ન થયેલ વાસ્તુ દોષ ઘરમાં ભયાનક આર્થિક તંગી લાવે છે. આ સિવાય પલંગની નીચે પ્લાસ્ટિકની વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુ દોષનુ જોખમ રહેલુ છે.
સાવરણી રાખવી પણ અશુભ
પલંગની નીચે સાવરણી રાખવી પણ અશુભ છે. પલંગની નીચે સાવરણી રાખવાથી મન અને મગજ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આ સાથે ઘરમાં આર્થિક પરેશાની પણ રહે છે. ઘરના સભ્યો બિમાર થાય છે.