મધ્યપ્રદેશ પ્રાંત પ્રાચીન મંદિરો માટે જાણીતુ છે અને અહીં રહેલા ખજુરાહોના મંદિર બહાર બનેલી આકૃતિઓને કામ સાહિત્યનું નામ આપવામાં આવ્યું છે.
ખજુરાહોના મંદિરનું સત્ય
મૂર્તિઓ કેમ બનાવવામાં આવી હતી
વિશ્લેષકો માને છે અલગ અલગ કારણ
ખજુરાહોના મંદિરોનું નિર્માણ 950ઇ. થી 1050 ઇ વચ્ચે થયુ છે. આ મંદિરની મૂર્તિઓનું નિર્માણ એટલી સુંદર રીતે કરવામાં આવ્યું છે કે તેને જોયા બાદ મનમાં કોઇ વિચિત્ર ખ્યાલ આવતો નથી. કારણકે બધા જ લોકો આ મુર્તિઓમાં ખોવાઇ જાય છે. આ એક એવું સ્થિન છે કે પરિવાર સાથે પણ પવિત્ર મનથી જોઇ શકાય છે.
કેટલીક વાર મનમાં પ્રશ્ન થાય છે કે આ પ્રકારની મૂર્તિઓ મંદિર બહાર મુકવા પાછળ શું વિચાર હશે. મુખ્ય રુપથી ચાર કારણ સામે આવે છે જે આ પ્રકારે છે.
પહેલી માન્યતા
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પ્રાચીન કાળમાં રાજા-મહારાજા ભોગ વિલાસમાં લિપ્ત રહેતા હતા અને ઘણા ઉત્તેજીત રહેતા હતા. જેના કારણે ખજુરાહો મંદિર બહાર નગ્ન તેમજ સંભોગની મુદ્રામાં વિભિન્ન મૂર્તિઓ બનાવવામાં આવી હતી.
બીજી માન્યતા
બીજા સમુદાયના વિશ્લેષકોનું માનવું છે પ્રાચીન સમયમાં સંભોગ એજ્યુકેશન માટે આ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રાચીનકાળમાં મંદિર જ એવું એક સ્થાન હતું જ્યાં બધા જતા હતા. માટે જ સંભોગની શિક્ષા માટે મંદિરને સિલેક્ટ કરવામાં આવ્યું હતુ.
ત્રીજી માન્યતા
અમુક વિશ્લેષકોનું માનવું છે કે મોક્ષ માટે દરેક વ્યક્તિને ચાર રસ્તામાંથી પસાર થવું પડે છે. ધર્મ, અર્થ યોગ અને કામ. એવું માનવામાં આવે છે કે આ દ્રષ્ટિથી મંદિર બહાર આ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી છે.
ચોથી માન્યતા
કેટલાક લોકો આ મૂર્તિઓને હિન્દુ ધર્મની રક્ષા માને છે. આ લોકો અનુસાર ખજુરાહોનું નિર્માણ થયુ ત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર ખુબ વધી રહ્યો હતો. ચંદેલના શાસકોએ હિન્દુ ધર્મના અસ્તિત્વને બચાવવા માટે પ્રયાસ કર્યો અને આ માર્ગનો સહારો લીધો. તે સમયે એવુ માનવામાં આવતું હતું કે સંભોગ તરફ બધા જ લોકો ખેંચાઇ આવશે.
આ મંદિર બહાર નગ્ન મૂર્તિઓ લગાવવામાં આવશે તો લોકો તેને જોવા માટે મંદિરમાં આવશે અને બાદમાં ભગવાનના દર્શન કરવા જશે, જેનાથી હિન્દુ ધર્મને બઢાવો મળશે.