ભારતના ચંદ્ર મિશન 'ચંદ્રયાન 2' એ પહેલી વખત તસ્વીર મોકલી છે.
આ તસ્વીર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના ઑફિશ્યલ ટ્વીટર પર શૅર કરી છે. ISROની તરફથી કરવામાં આવેલી ટ્વીટની પહેલી તસ્વીરમાં કેપ્શન લખ્યુ હતુ કે,'' 'ચંદ્રયાન 2' માં VikramLander દ્વારા ક્લિક કરવામાં આવેલી પૃથ્વીની સુંદર તસ્વીરનો પહેલો સેટ 3 ઓગસ્ટ, 2019 17:28 UT પર #ચંદ્રયાન 2 LI4 કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવેલી પૃથ્વી.''
તમને જણાવી દઇએ કે, ચંદ્ર તરફ રવાના થયેલુ ISROનું મૂન મિશન ચંદ્રયાન 2 સતત પોતાનાા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યુ છે. ચંદ્રયાન 2નું પ્રક્ષેપણ 22 જૂલાઇના આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન કેન્દ્રથી કરવામાં આવ્યુ હતુ.
6 ઓગ્સ્ટના બદલાશે કક્ષા:
ચંદ્રયાન 2 ની પેરિજી (પૃથ્વીથી ઓછું અંતર) 277 કિલોમિટર અને એપોજી (પૃથ્વીથી વધારે અંતર) 89472 કિમી સુધી કરી દીધી છે. હવે 6 ઓગસ્ટના ફરી એક વખત પોતાની કક્ષા બદલશે. ISROએ શુક્રવારે 3:27 પર ચંદ્રયાન 2ની ચૌથી વખત સફળતાપૂર્વક બદલાવ કર્યો.
ચંદ્રયાન 2 6 ઓગસ્ટ સુધી પૃથ્વીથી ચક્કર લગાવશે. આ પછી 14- 20 ઓગસ્ટ સુધી ચંદ્રની તરફ જાનારી લાંબી કક્ષામાં પ્રવેશ કર્યા પછી ચંદ્રની આસપાસ ચક્કર લગાવવું શરૂ કરશે. 21 ઓગ્સ્ટ સુધી ચંદ્રનું ચક્કર લગાવશે.
1 સપ્ટેમ્બર લેન્ડર ઓર્બિટરથી અલગ:
1 સપ્ટેમ્બરના લેન્ડર ઓર્બિટરથી અલગ થઇ જશે અને ચંદ્રના દક્ષિણી ધ્રુવની તરફ જવા નીકળશે. 6 સપ્ટેમ્બરના લેન્ડર ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે અને રોવર પ્રજ્ઞાન ચંદ્રના સરફેસ પર વિભિન્ન પ્રયોગ કરશે.
મહત્વની જાણકારી મળશે:
ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન 2 નું રોવર ઉતરવા પર અહીંયા પાણીથી જોડાયેલી મહત્વની જાણકારી મળી શકશે. વાસ્તવમાં મળતી જાણકારી અનુસાર, આ ક્ષેત્રમાં પહેલાથી ઘણા અનુમાનો અનુસાર, અધિક માત્રામાં પાણી બરફના રૂપમાં હોઇ શકે છે.