છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામના ધુંચાપાલી ગામમાં માતા ચંડીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંયા માણસો ઉપરાંત રીંછ પણ દર્શન માટે દરરોજ આવે છે.
માડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ મંદિર આશરે 150 વર્ષ જૂનું છે. અહીંયા આવેલી ચંડી દેવીની પ્રતિમા પ્રાકૃતિક છે.
ભારે સંખ્યામાં લોકો આ મંદિરમાં પોતાની મનોકામનાને લઇને આવે છે. સાંજના સમયે રીંછને પણ જોવે છે કે કેવી રીતે માતાની સામે રીંછનો પૂરો પરિવાર આવે છે.
આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. ચંડી માતાની પ્રતિમા પ્રાકૃતિક રૂપમાં બિરાજમાન છે. લોકોનું કહેવું છે કે સાંજે આરતીના સમયે રીંછનો પૂરો પરિવાર દેવીના દર્શન માટે આવે છે. કોઇને નુકસાન પહોંચાડ્યા વગર રીંછ મંદિરમાં આવે છે માતાની પરિક્રમા કરીને પ્રસાદ લઇને પાછા જંગલમાં જતા રહે છે. લોકો રીંછની શ્રદ્ધાને જોઇને હેરાન થઇ જાય છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે રીંછ એ લોકો સાથે મિત્ર જેવું જ વર્તણુંક કરે છે.
ગામના લોકોનું કહેવું છે કે આજ સુધી રીંછે કોઇને નુકસાન પહોંચાડ્યું નથી. જો કે જંગલમાં રીંછ જોવા મળે તો એ માણસને છોડતું નથી પરંતુ મંદિર પરિસરમાં એ કોઇને કશું કરતું નથી.