મંદિરમાં દર્શન કરવાથી મનને શાંતિ તો મળે છે અને સાથે જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ કેટલાક લોકો મંદિરમાં એવી નાની મોટી ભૂલ કરી દે છે જેનાથી પુણ્ય ઓછું થઇ જાય છે અને દોષ લાગે છે. આ ભૂલો માટે લોકો જાણતા નથી. ચલો જાણીએ મંદિરમાં કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
મંદિરમાં હસવું
મંદિરમાં હસવું, જોરથી બોલવું કોઇ પણ પ્રકારનું મનોરંજન કરવું યોગ્ય નથી. કારણ કે એનાથી લોકોના ધ્યાનમાં અડચણ પડે છે અને તમને દોષ લાગે છે.
કોઇની આગળ આવવું
મંદિરમાં જ્યારે કોઇ ભક્ત ભગવાનના દર્શન કરી રહ્યું હોય તો એની આગળથી નિકળવું જોઇએ નહીં અને ઊભા રહેવું જોઇએ નહીં.
ઊંધી પરિક્રમા કરવી
કેટલાક લોકો અજ્ઞાનતાના કારણે ઉલ્ટી પરિક્રમા કરી લે છે. હંમેશા પરિક્રમા ઊંધા હાથથી શરૂ કરીને સીધા હાથ તરફ પૂર્ણ કરવી જોઇએ. આ ઉપરાંત શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઇએ.
બેલ્ટ પહેરીને જવું
મંદિરમાં ક્યારેય પણ બેલ્ટ પહેરીને અથવા ચામડાની કોઇ ચીજ લઇ જવી જોઇએ નહીં. ચામડાને અશુદ્ધ માનવામાં આવ્યું છે. આવું કરવાથી પાપ લાગે છે.
મૂર્તિની સામે આવવું
દેવી દેવતાની મૂર્તિની સામે ઊભા રહેવું ખોટું છે. કારણ કે ભગવાનની મૂર્તિથી નિકળનારી ફાસ્ટ ઊર્જા માનવ શરીર સહન કરી શકતું નથી.