આગામી સાત માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મનો આ તહેવાર ખૂબ મહત્વનો ગણી શકાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીએ નરસિંહનો અવતાર લઈને પોતાના ભક્ત એવા પ્રહલાદની રક્ષા કરી હતી. તે દિવસથી આ દિવસે હોળીનો તહેવારની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. આ દિવસે લોકો હોલિકા દહન પર લાકડા અને છાણા મુકે છે અને ત્યારબાદ રાતે હોલિકાનું દહન કરે છે. ત્યારે આ દિવસે એવી કેટલીક ભૂલો છે જે આપણે ન કરવી જોઈએ. જો ભૂલથી પણ આ પ્રકારની ભૂલ કરી દઈએ તો આ નાની ભૂલના કારણે કંગાળ બની જઈએ છીએ.
ઉધાર રૂપિયા લેવા જોઈએ નહીં
હોલિકા દહનના દિવસે ક્યારેય પણ કોઈની પાસેથી ઉછીના રૂપિયા લેવા જોઈએ નહીં. જે લોકો આ દિવસે રૂપિયાની લેવડ દેવડ કરે છે તેઓ હંમેશા ગરીબીથી ઘેરાયેલા રહે છે. આ ઉપરાંત ઘરની સુખ-સમૃદ્ધિમાં પણ ઘટાડો થાય છે.
હોલિકા દહન આ લોકોએ ન કરવુ જોઈએ
જ્યોતિષના કહેવા પ્રમાણે જે લોકોને એક જ પુત્ર હોય છે તે લોકોએ ક્યારેય હોલિકા દહનના દિવસે અગ્નિ પ્રગટાવવી જોઈએ નહીં. જે લોકોને એક પુત્ર અને પુત્રી હોય છે તેવા લોકો હોલિકા દહન કરી શકે છે.
સફેદ વાસ્તુથી દૂર રહેવું જોઈએ
હોલિકા દહનના દિવસે સફેદ વસ્તુનું સેવન ન કરવુ જોઈએ. કારણકે આ દિવસે સફેદ વસ્તુનું સેવન કરવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. તેથી સફેદ કલરની તમામ વસ્તુઓદહીં, દૂધ, છાશ ખાવાનું ટાળવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. અને આ દિવસે સફેદ વસ્તુ નકારાત્મક શક્તિઓને ઝડપથી આકર્ષિત કરે છે.આ દિવસે લાકડાને બાળવામાં આવે છે. જેમાં સૂકા લાકડાને કે વૃક્ષને બાળવામાં આવે છે. તેમાં કેરી, વડ અને પીપળાના વૃક્ષને ક્યારેય બાળવુ ન જોઈએ.
માતાનું અપમાન ન કરવુ જોઈએ
આ દિવસે માતાનું ભૂલથી પણ અપમાન ન કરવુ જોઈએ. જો તમે ભૂલથી પણ માતાનું અપમાન કરી દો છો તો તમારે અશુભ પરીણામ ભોગવવાનો વારો આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે આ દિવસે અપમાન કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે. જો તમે કઈ સારૂ કરવા માંગો છો તો તમે તમારી માતાને સારી એવી ભેટ પણ આપી શકો છો. તેમજ આ દિવસે તમારે તમારી માતાના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લેવા જોઈએ.
આ દિવસે શુ કરવુ જોઈએ?
આ દિવેસે આપણે લોકોએ હોલિકાની પ્રદક્ષિણા સાત વખત ફરવી જોઈએ. પ્રદક્ષિણા સમયે દહનમાં કેક, એલચી, લવિંગ, ધાણી વગેરે મુકવુ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત હોલિકા દહન બાદ પરિવારના સભ્યો સાથે ચંદ્રને જોવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તેની પાછળનું કારણ જાણીએ તો આ દિવસે ચંદ્ર તેમના પિતા એવા બુધની રાશિમાં સ્થિત હોય છે અને સૂર્ય તેના ગૂરુ એવા ગૂરુની રાશિમાં સ્થિત હોય છે. આ દિવસે ઘઉં અને ગોળની બનેલી રોટલી પોતાના પરિવાર સાથે ખાવી જોઈએ.