આવકવેરા વિભાગ હવે સામાન્ય લોકોથી લઈને કંપનીઓ સુધીના એ લોકોના ખાતાની તપાસ કરવા જઈ રહ્યું છે. જેમણે વિદેશમાં પૈસાની લેવડદેવડ કરી છે.
આવક વેરા વિભાગની કાર્યવાહી
વિદેશમા પૈસાની લેવડદેવડ કરતા હોવ તો સાવધાન
જાણો શું છે સરકારનો પ્લાન
દેશની મોદી સરકારે બેનામી પ્રોપર્ટી બાદ કાળા નાણા પર કાર્યવાહી શરૂ કરી છે. જો તમે વિદેશમાં લેવડદેવડ કરી હોય તો સાવધાન થઈ જાઓ. કારણ કે આવકવેરા વિભાગે કાળા નાણાની શોધ તેજ કરી છે. આવકવેરા વિભાગ હવે સામાન્ય લોકોથી લઈને કંપનીઓ સુધીના લોકોના ખાતાની તપાસ કરવા જઈ રહ્યું છે.
જેમણે વિદેશમાં પૈસાની લેવડદેવડ કરી છે. આ પહેલીવાર છે જ્યારે ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે આ સંબંધમાં ઘણી કંપનીઓને નોટિસ મોકલી છે. આ પછી હવે આવકવેરા વિભાગે FAIUની ઘણી કંપનીઓને નોટિસ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે.
મોદી સરકારે તપાસનો દાયરો વધાર્યો
જણાવી દઈએ કે અત્યાર સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ફોરેન એસેટ ઈન્વેસ્ટિગેશન યુનિટ લોકોની બેનામી પ્રોપર્ટીની તપાસ કરતી હતી. જેમાં સામાન્ય લોકોના વિદેશી બેંક ખાતા, વિદેશી કંપનીમાં શેરહોલ્ડિંગ અને ટેક્સ હેવન કન્ટ્રીમાં ટ્રસ્ટ સાથેના સંબંધો વગેરેની તપાસ કરવામાં આવી હતી. હવે મોદી સરકારના આવકવેરા વિભાગે તેની તપાસનો વ્યાપ વધારી દીધો છે.
જાણકારી ભેગી કરવામાં લાગ્યું FAIU
ફોરેન અસેટ ઈન્વેસ્ટિગેશન યુનિટ ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવેલા પૈસાની જાણકારી ભેગી કરવામાં લાગેલું છે. ત્યાં જ એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં વિદેશી વ્યક્તિ અથવા કંપનીઓને ફક્ત મધ્યસ્થના રૂપમાં પૈસા ચુકવવામાં આવ્યા છે.
મુંબઈની ઓછામાં ઓછી 8 કંપનીઓને આવક વેરા વિભાગની ટીમને પાછલા થોડા દિવસમાં નોટિસ આપવામાં આવી છે. આવક વેરા કાયદા હેઠળ ફોરેન એસેટ ઈન્વેસ્ટિગેશન યુનિટ કંપનીઓ અને સામાન્ય લોકોની પણ તપાસ કરવામાં લાગેલું છે.
પૈસા ડાયવર્ટ કરવા માટે કરી રહ્યા આવા કામ
આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે ઘણા લોકો પોતાની કંપનીઓ દ્વારા વિદેશમાં પ્રોપર્ટી ખરીદે છે. આ સામાન્ય વાત નથી પરંતુ ઘણા લોકો પોતાના પૈસા ડાયવર્ટ કરવા માટે આવું કરી રહ્યા છે. ફોરેન એસેટ્સ ઈન્વેસ્ટિગેશન યુનિટ હવે આ મામલે કંપનીઓ દ્વારા આપવામાં આવેલા કમિશન કે બ્રોકરેજ વગેરેની તપાસમાં વ્યસ્ત છે.