સ્થૂળતા એ ખૂબ જ જટિલ અને જુની બીમારી છે. જેનાથી આપણે આપણી જીવનશૈલી બદલીને ટાળી શકીએ છીએ. સ્થૂળતા સામાન્ય રીતે શરીરમાં વધારાની ચરબીના સંચયને કારણે વધે છે પરંતુ કેટલીકવાર તે ખરાબ સ્વાસ્થ્યને કારણે પણ હોઈ શકે છે.
સ્વાસ્થ્યને આ રીતે અસર કરે છે વધતુ વજન
સ્થૂળતા આપે છે બીમારીઓને આમંત્રણ
જાણો વજન વધવાથી કઈ કઈ બીમારીઓ થઈ શકે
દર વર્ષે 26 નવેમ્બરે એન્ટી ઓબેસિટી ડે ઉજવવામાં આવે છે. ઓબેસિટીને સામાન્ય રીતે આપણે જાડાયણાથી ઓળખીએ છીએ. આ દિવસને ઉજવવાનો હેતુ લોકોના વજન અને તેનાથી થતી શારીરિક બીમારીઓ વિશે જાગરૂકતા લાવવાનું છે. ઘણા લોકો એવી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે છે.
જેના કારણે નાની ઉંમરમાં જ ઝડપથી તેમનું વજન વધવા લાગે છે અને વધતા વજનથી ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બિમારીઓનો ખતરો વધી જાય છે. જો સમય રહેતા વજન કંટ્રોલ ન કરવામાં આવ્યું તો તેનાથી મોટી મુશ્કેલીઓ થઈ શકે છે.
વજન વધવાથી વધે છે બીમારીઓનો ખતરો
એક રિપોર્ટ અનુસાર સ્થૂળતા એ ખૂબ જ જટિલ અને જુની બીમારી છે. જેનાથી આપણે આપણી જીવનશૈલી બદલીને ટાળી શકીએ છીએ. સ્થૂળતા સામાન્ય રીતે શરીરમાં વધારાની ચરબીના સંચયને કારણે વધે છે પરંતુ કેટલીકવાર તે ખરાબ સ્વાસ્થ્યને કારણે પણ હોઈ શકે છે. પરંતુ ઘણી વખત ખરાબ સ્વાસ્થ્યના કારણે પણ તે થઈ શકે છે. જાડાપણુ વધવાથી ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
ઓબેસિટીના પ્રકાર
હેલ્થ એક્ટપર્ટ બોડી માસ ઇન્ડેક્સના આધારે સ્થૂળતાને વર્ગીકૃત કરે છે. જો તમારો BMI 25.0 અને 29.9 kg ની વચ્ચે છે, તો તે તમને વધારે વજનની શ્રેણીમાં મૂકશે. સામાન્ય રીતે 3 પ્રકારની સ્થૂળતા હોય છે.
ક્લાસ 1 ઓબેસિટી: BMI 30થી < 35 KG
ક્લાસ 2 ઓબેસિટી: BMI 30થી < 40 KG
ક્લાસ 3 ઓબેસિટી: BMI 40+ KG
વજન વધવાથી મેટાબોલિક પરિવર્તન
મેટાબોલિઝમ આપણા શરીરના કાર્યોને કરવા માટે કેલેરીને ઉર્જામાં પરિવર્તન કરવાની પ્રક્રિયા છે. શરીરમાં વસા વધુ હોવાના કારણે જાડાપણું વધે છે અને તેનાથી મેટાબોલિઝ્મ પ્રક્રિયા ઝડપથી પ્રભાવી થાય છે. મેટાબોલિક સિંડ્રોમ જાડાપણાનું એક સામાન્ય કારક છે અને ઘણા પ્રકારની બિમારીઓથી થાય છે.
ટાઈપ 2 ડાયાબિટીસ
જાડાપણુ થવાથી ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો સૌથી વધારે થાય છે. જાડાયણું ટાઈપ 2 ડાયાબિટીસને લગભગ સાત ગણુ વધારે છે. એક્સપર્ટની માનીએ તો વજન ઓછુ કરી, સંતુલિત અને પોષ્ટિક ડાયેટ પ્લાન તૈયાર કરીને આ ખતરાથી બચી શકાય છે.
હ્રદયરોગ
વધતું બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ શુગર અને શરીરમાં સોજા એ બધા હૃદય રોગને વધારવાના સૌથી મોટા પરિબળો તરીકે ઓળખાય છે. કોરોનરી આર્ટરી ડિસીઝ, સ્ટ્રોક, હાર્ટ એટેકનું જોખમ રહે છે. BMI વધવાથી આ તમામ જોખમો વધુ ઝડપથી વધે છે.
ફેટી લિવર ડિસીઝ
વધુ પડતી ચરબીને કારણે તે ધીમે-ધીમે લિવરમાં જમા થવા લાગે છે. જ્યારે લિવરમાં વધારાની ચરબી જમા થાય છે, ત્યારે તે લીવરમાં સોજો પેદા કરે છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે હેપેટાઇટિસ અને સિરોસિસ જેવા ગંભીર રોગો તરફ દોરી જાય છે.
પિત્તાશયમાં પથરી
હાઈ કોલેસ્ટ્રોલ પિત્તાશયમાં પથરી થવાની શક્યતા અનેક ગણી વધારી દે છે. ભારતમાં લગભગ 10-20 ટકા લોકો આ રોગથી પીડિત છે. જ્યારે વધારે કોલેસ્ટ્રોલ એન્ઝાઇમ પિત્તાશયમાં હાજર પિત્તમાં ઓગળી શકતા નથી, ત્યારે તે ધીમે ધીમે એકઠા થવા લાગે છે અને તે નક્કર આકાર લે છે.
કેન્સર
સ્થૂળતાને કારણે અનેક પ્રકારના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. સ્થૂળતાના કારણે ગર્ભાશય, ગર્ભાશય ગ્રીવા, અંડાશય, સ્તન કેન્સર, પિત્તાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરની શક્યતાઓ વધી જાય છે.
સ્થૂળતાના કારણે શરીરમાં થાય છે સીધી અસર
અસ્થમા
ઓબેસિટી હાયપોવેન્ટિલેશન સિન્ડ્રોમ
ઓસ્ટિયોઆર્થરાઈડિસ
બેક પેઈન
સંધિવાની સમસ્યા
ડિપ્રેશન
ઓબેસિટીના આ ડાયરેક્ટ ઈફેક્ટ્સ
સ્થૂળતા શરીરને પરોક્ષ રીતે પણ અસર કરે છે. તેના કારણે થતા કેટલાક ઈનડાયરેક્ટ રોગો નીચે મુજબ છે.