દિલ્હીમાં એક રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વ્યક્તિએ તેના પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. તેથી જ તમે ખરેખર કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો તે જાણવું મહત્વપૂર્ણ છે.
દિલ્હીમાં સામે આવ્યો છે રૂવાડા ઉભા કરી દે તેવો કેસ
તમે કેવા વ્યક્તિ સાથે રહો છો તે જાણવું ખૂબ જ જરૂરી
આ 6 પ્રકારના સંકોતોથી જાણો કે કોઈ વ્યક્તિ સાઈરોપેથ તો નથી
દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કથિત રીતે તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી હતી, તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. સ્થાનિક કોર્ટે આરોપીને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આરોપીનું નામ આફતાબ અમીન પૂનાવાલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેણે 18 મેના રોજ 26 વર્ષની શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી.
18 દિવસ સુધી અલગ અલગ જગ્યાઓ પર નાખ્યા શરીરના ટૂકડા
પોલીસના જણાવ્યા અનુસાર પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડના શરીરના 35 ટુકડા કર્યા અને પછી તેને સ્ટોર કરવા માટે એક નવું ફ્રિજ ખરીદ્યું. આ ટુકડાઓ તે 18 દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ ફેંકતો રહ્યો. આ પ્રકારનો હત્યાનો કિસ્સો પહેલો નથી આ પહેલા પણ તમે આવા ઘણા રૂવાડા ઉભા કરી દે તેવા કિસ્સાઓ જોયા હશે અથવા વાંચ્યા હશે. આમાં સવાલ એ થાય છે કે વ્યક્તિ કેવી રીતે સમજી શકે કે તેનો પાર્ટનર માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં?
કોણ હોય છે psychopath?
સાઈકોપૈથ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે જે સામાન્ય રીતે ટીવી સીરિયલ અને ફિલ્મોમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. જો કે સાઈકોપૈથ એ સામાન્ય સ્થિતિ નથી. લોકો સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરે છે કે જેની વર્તણૂક સામાજિક ધોરણો અનુસાર યોગ્ય સાબિત થતી નથી.
એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર (ASPD). એ મેયો ક્લીનિક અનુસાર ASPD એક માનસિક વિકાર છે. મેયો ક્લિનિક મુજબ, ASPDએ એક માનસિક વિકાર છે જેમાં લોકોને સાચા-ખોટા, સહાનુભૂતિ અથવા અન્ય લોકોની ભલાઈ સમજમાં નથી આવતી.
ASPD ધરાવતા લોકો સામાન્ય રીતે પાર્ટનર ટોક્સિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. પરંતુ તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ પણ ધરાવે છે અને તેઓ નકલી સહાનુભૂતિ દર્શાવવામાં પારંગત હોય છે. તો એવામાં આવા લોકોને ઓળખી કઈ રીતે શકાય?
સાઈકોપૈથ પાર્ટનરને ઓળખવા માટે 6 સંકેત
તે પસ્તાવા વગર બીજાને હાનિ પહોંચાડી શકે છે
ASPDથી પીડિત લોકો કોઈ પણ હાનિ પહોંચાડી શકે છે અને તેમને તેનો જરા પણ અફસોસ નથી હોતો. પછી તે નુકસાન આર્થિક હોય છે ભાવનાત્મક હોય તે શારીરિક હોય. એક્સપર્ટ્સ અનુસાર આવા લોકોની સંગઠિત અપરાધમાં શામેલ હોવાની સંભાવના વધુ હોય છે.
તમારો પાર્ટનર બિલકુલ તમારી કોપી લાગે છે
સાયકોપેથ્સ એન્ડ લવના લેખક એડેલિન બર્ચના જણાવ્યા અનુસાર એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા લોકો તેમને જીતવા માટે તેમના પાર્ટનરનું અનુકરણ કરે છે. સાયકોપેથ્સ બિલકુલ તમારા પ્રકારનો વ્યક્તિ બની જાય છે. જેમ કે તમારા જેવી જ પસંદ રાખવી વગેરે જેથી તેઓ તમારી નજરમાં પર્ફેક્ટ વ્યક્તિ બની જાય.
તેમના વધારે મિત્રો નથી હોતા
ASPD ધરાવતા લોકોમાં સહાનુભૂતિ અને કરુણાનો અભાવ હોય છે, જે તેમના માટે મિત્રો બનાવવા અશક્ય બની જાય છે. તેમનું ધ્યાન ફક્ત પોતાના પર જ રહે છે, તેથી તેઓની બીજા કોઈની સાથે બનતી નથી. તેમના માટે સ્વસ્થ અને લાંબો સંબંધ જાળવવો પણ મુશ્કેલ બની જાય .છે. તેઓ કોઈની સાથે મળીને કામ કરી શકતા નથી. કારણ કે તેમને અન્ય લોકો પર ઓથોરિટીની જરૂર હોય છે.
માત્ર પોતાના ફાયદા માટે કરે છે કામ
ASPDથી પીડિત લોકો માત્ર તેમના પોતાના ફાયદા માટે જ કાર્ય કરે છે. જેનો અર્થ છે કે તેઓ તેમની આસપાસના લોકોનું શોષણ કરે છેય પછી ભલે તેઓ પ્રિયજનો અથવા પરિવારના સભ્યો હોય. મેયો ક્લિનિક અનુસાર. તેઓ જૂઠું બોલે છે, ચોરી કરે છે અને તેમના પાર્ટનરને પણ નુકસાન પહોંચાડે છે. આ સ્વભાવને કારણે, તેમના સંબંધોમાં દુર્વ્યવહારનું સ્તર વધતું જાય છે.
તેમને કોઈ સહાનુભૂતિ નથી હોતી
આવા લોકોમાં સહાનુભૂતિ હોતી નથી, તેઓ શારીરિક નુકસાનથી લઈને હત્યા સુધી કંઈ પણ કરી શકે છે. ASPD ધરાવતા લોકો ઘણીવાર હિંસક હોય છે. પરંતુ દરેક વ્યક્તિ એવું નથી હોતું. તેઓ હિંસાનો આશરો લીધા વિના સહાનુભૂતિનો કમી બતાવી શકે છે.
ASPDથી પીડિત લોકોને ઓળખવા હોય છે મુશ્કેલ
આનાથી પીડિત લોકોને ઓળખવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે આ લોકો જાણે છે કે કેવી રીતે બીજાનું દિલ જીતવું, તેઓ ખોટી સહાનુભૂતિ બતાવવામાં પણ નિષ્ણાત હોય છે. ASPDથી પીડિત વ્યક્તિની વિશેષતા એ છે કે તેમની સાથે વાત કરનાર વ્યક્તિ સમજી શકશે નહીં કે તેઓ કેટલા ખતરનાક શખ્સ સાથે વાત કરી રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ બધાને પસંદ આવનાર વ્યક્તિત્વ છે અને તેઓ બુદ્ધિશાળી દેખાઈ શકે છે.