વજન વધવું, એસિડિટી અને કબજીયાતની સમસ્યા આ બધુ આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ભોજનનું પરિણામ છે.
ભોજન બાદ ન નહાવવું જોઈએ
ભોજન બાદ ઓછામાં ઓછુ 10 મિનિટ ચાલો
જાણો ભોજન બાદ કઈ વસ્તુઓ ન કરવી જોઈએ
આજકાલ લોકોમાં વજન વધવું, એસિડિટી અને કબજીયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. લોકોને સમજમાં નથી આવતું કે તેમની સાથે એવું કેમ થઈ રહ્યું છે પરંતુ તેમને જણાવી દઈએ કે તેની પાછળનું કારણ તમારૂ વજન છે. વજન વધવું કે એસિડિટી અથવા તો કબજીયાતની સમસ્યા આ બધુ આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખરાબ ખોરાકનું પરિણામ છે. આજે અમે તમને અમુક એવી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઘણી પરેશાનિઓથી બચી શકો છો.
ભોજન બાદ ન નહાવું
જો તમે ભોજન અથવા નાસ્તો કર્યા બાદ તરત નહાવ છો તો સાવધાન થઈ જાઓ. ઘરના વૃદ્ધો હંમેશા નહાયા બાદ ભોજનની સલાહ આપે છે અને તેના પાછળ વૈજ્ઞાનિક કારણ છે. હકીકતે ભોજન કર્યા બાદ શરીરનું તાપમાન વધી જાય છે અને તેનાથી તમારૂ ભોજન સારી રીતે પચે છે. પરંતુ તે સમયે જો તમે નહાવ છો તો તાપમાન બદલાઈ જાય છે અને તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
ભોજન બાદ ન ખાઓ ફળ
ક્યારેય પણ ભોજન કર્યા બાદ ફળ ન ખાવા જોઈએ. કારણ કે ફળનો પાચનનો સમય અલગ હોય છે અને ભોજન પચાવવાનો સમય અલગ હોય છે. એવામાં એસિડિટીની સમસ્યા થાય છે.
ભોજન બાદ સ્મોકિંગ ન કરો
ઘણા લોકોની આદત હોય છે કે ભોજન બાદ તરત તે સ્મોકિંગ કરે છે. પરંતુ એવું કરવાથી વજન વધી શકે છે.
ભોજન બાદ ન સુવો
ભોજન કર્યા બાદ જો તમે તરત સુઈ જાવ છો તો શરીરને ભોજન પચાવવામાં મુશ્કેલી થઈ શકે છે. અને તમારૂ પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. તમને કબજીયાતની સમસ્યા પણ થઈ શકે છે. માટે ભોજન બાદ 10 મિનિટ વોક જરૂર કરો અને ઓછામાં ઓછું 2 કલાક બાદ સુવો.
એક્સરસાઈઝ ન કરો
એક્સરસાઈઝ ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ જો ભોજન બાદ તમે વ્યાયામ કરો છો તો તમારી પાચન પ્રક્રિયામાં અવરોધ ઉભો થઈ શકે છે. તમને પેટમાં દુઃખાવો, ઉલ્ટી વગેરે જેવી સમસ્યા પણ થઈ શકે છે.