ગઇકાલે દિવસભર પડેલા માત્ર બે ઇંચ વરસાદમાં પપથી વધુ વિસ્તાર જળબંબાકાર થતા તંત્રના પ્રિમોન્સૂન એકશન પ્લાનના લીરેલીરા ઊડી ગયા હતા. જેના કારણે આશરે રૂ.૧૦ કરોડના ખર્ચ પર પાણી ફરી વળ્યું હતું. જોકે સત્તાવાળાઓએ શહેરમાં આશરે ર૧૦ થી ર૩૦ જગ્યાએ વરસાદી પાણી ભરાશે તેનો આ એકશન પ્લાન હેઠળ એકરાર કર્યો છે.
આ સાથે જ મેટ્રો રેલના કામકાજથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી છે. દરમ્યાન શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વોર્ડમાં ર૭ જગ્યાએ લોકોએ વરસાદી પાણીથી સાચવવું પડશે.