ઈન્ડિયન ટીમનાં સુપરફેન ગુજરાતનાં ચારુલત્તા પટેલનું 13 જાન્યુઆરીએ નિધન થયું છે. જેને પગલે BCCIએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. 88 વર્ષની વયે સ્વર્ગસ્થ થતાં ક્રિકેટર્સ અને દાદીનાં ચાહકોમાં શોકની લાગણી અનુભવી રહ્યાં છે.
ક્રિકેટનાં સુપરફેન દાદીનું નિધન
ચારુલત્તા પટેલનાં નિધન પર BCCIએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલી આપી
ચારુલત્તા પટેલ મુળ ગુજરાતનાં હતાં
દાદી વ્હિલચેર પર મેચ જોવા ગયાં હતાં
#TeamIndia's Superfan Charulata Patel ji will always remain in our hearts and her passion for the game will keep motivating us.
87 વર્ષનાં ચારુલત્તા પટેલે ભારત - બાંગ્લાદેશનની વર્લ્ડ કપ મેચમાં હાજરી આપવા વ્હિલચેર પર પહોંચ્યાં હતાં. તેઓએ ઈન્ડિયન ટીમનાં ચોગ્ગા - છગ્ગા પર જોર જોરથી પીપુડા વગાડી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. દાદીનો ઉત્સાહ જોઈ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમને મળ્યાં હતાં. આ બન્નેને દાદીનાં આશીર્વાદ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે 83માં કપિલ દેવે વર્લ્ડ કપ જીત્યો ત્યારે પણ દાદીએ લાઈવ મેચ નીહાળી હતી.
ICC વર્લ્ડકપ 2019ની મેચ બાદ વિરાટ કોહલીએ દાદી માટે કરેલા ટ્વીટ બાદ દાદી સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં હતા. આજે દાદીનાં નિધન પર લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી રહ્યાં છે. દાદીનાં નિધન પર BCCIએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.