ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝ માટે મોટો નિર્ણય કર્યો છે. તેમણે એક ખેલાડીને 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં જગ્યા આપી છે.
ટીમ ઈન્ડિયામાં શામેલ થયો સૌરાષ્ટ્રનો આ સ્ટાર ખેલાડી
12 વર્ષ બાદ BCCIએ લીધો ચોંકાવનારો નિર્ણય
ક્રિકેટ કંટ્રોલ બોર્ટે લીધો મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે રમાવવા જઈ રહેલી વન ડે સીરીઝ બાદ 2 ટેસ્ટ મેચ પણ રમાનારી છે. આ સીરીઝ પહેલા ભારતીય ક્રેકેટ કંટ્રોલ બોર્ડે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેણે આ સીરીઝ માટે ઈજાગ્રસ્ત સીનિયર મોહમ્મદ શામીની જગ્યા એક એવા ખેલાડીને શામેલ કર્યા છે જેણે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 12 વર્ષ પહેલા રમી હતી.
વિજય હજારે ટ્રોફીમાં કર્યો શાનદાર પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ખભાની ઈજાના કારણે વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના સમાચાર અનુસાર ટેસ્ટ ટીમમાં તેના સ્થાને 31 વર્ષીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2010માં રમી હતી.
ઘરેલુ ક્રિકેટના દમ પર મળી જગ્યા
31 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનાદકટે તેની એકમાત્ર ટેસ્ટ 2010માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં રમી હતી. ત્યારથી તે સાત વનડે અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિજય હજારે ટ્રોફીમાં 10 મેચમાં 19 વિકેટ સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ શાનદાર રમત બાદ જ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સફળ બોલરોમાંથી એક
જયદેવ ઉનાડકટ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંથી એક છે. જયદેવ ઉનાડકટે તેની 96 મેચોની કારકિર્દીમાં 353 વિકેટ લીધી છે. જેમાં રણજી ટ્રોફીની 2019-20ની રેકોર્ડબ્રેક સિઝનનો સમાવેશ થાય છે. જેમાં તેણે 67 વિકેટ લીધી હતી. તેની શાનદાર રમત બાદ જ સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફીની ચેમ્પિયન બની હતી.