વર્ષો સુધી ના પાડ્યા બાદ અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સીના દાયરામાં આવવા માટે તૈયાર થઇ ગયું. ખેલ સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ જાણકારી આપી.
દુનિયાના સૌથી અમીપ ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ પર ભારત સરકાર હવે નિયંત્રણની તૈયારી શરૂ કરી ચુર્યું છે. હવે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI પણ NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી)ના દાયરામાં આવશે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ બીજી રમતોની જેમ આ એજન્સીના હાથમાં નહતું.
બીસીસીઆઇ સીઇઓ રાહુલ જોહરીથી શુક્રવારે મુલાકાત બાદ ખેલ સચિવ આરએસ જુલાનિયાએ કહ્યું કે, 'બોર્ડે લિખિતમાં આપ્યું છે કે એ નાડાની ડોપિંગ નિરોધક નીતિનું પાલન કરશે. બીસીસીઆઇની પાસે ન કહેવાનો કોઇ વિકલ્પ નથી. દરેક એક સમાન છે, દરેક એ એક જ નિયમનું પાલન કરવું પડશે.'
આજે બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરીએ ખેલ સચિવ અને અધિકારીઓ સાથે મુલાકાતક કરી. મંત્રાલયના અધિકારીઓએ પહેલા જ સ્પષ્ટ કર્યું કે એ બીસીસીઆઇને અપવાદ બનાવવાના મૂડમાં નથી. એના માટે તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ સમાન છે. તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘ એક સરકારી ડોપિંગ રોધી એજન્સીના અંતર્ગત છે અને ત્યાં નાડા છે.
નાડા અંતર્ગત આવવાથી બીસીસીઆઇ ના ના પાડ્યા બાદથી સરકાર અને બીસીસીઆઇની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવની સ્થિતિ ચાલી રહી હતી. અત્યાર સુધી બીસીસીઆઇ નાડાના દાયરામાં આવવાથી ના પાડતું આવ્યું છે.
ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ રહેવાને કારણે બીસીસીઆઇના યુવા બેટ્સમેન પૃથ્વી શૉ ને નવેમ્બર સુધી પ્રતિબંધિત કરવાના થોડાક દિવસ પહેલા જ ખેલ મંત્રાલયે બીસીસીઆઇને પત્ર લખીને એના ડોપિંગ રોધી માળખાની ટીકા કરી હતી.
ખેલ મંત્રાલય સતત કહેતું આવ્યું છે કે એને નાડા અંતર્ગત આવવું પડશે. તાજેતરમાં એને દક્ષિણ આફ્રિકા એ અને મહિલા ટીમોના પ્રવાસને મંજૂરી રોકી દીધી હતી ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બીસીસીઆઇ પર નાડાના દાયરામાં આવવા માટે દબાણ બનાવવાના હેતુથી આવું કરવામાં આવ્યું.
તાકત વધારવા માટે દવાઓનો ઉપયોગને પકડવા માટે ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. કોઇ પણ ખેલાડીનો કોઇ પણ સમયે ડોપ ટેસ્ટ લેવામાં આવી શકે છે. આ નાડા અથવા વાડા અથવા ફરીથી બંને તરફથી કરવામાં આવી શકે છે. એના માટે ખેલાડીઓના મૂત્રના સેમ્પલ લેવામાં આવે છે. નમૂનો એક જ વખત લેવામાં આવે છે.