કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી આદેશ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગનાં 13મી સીઝનને આગામી આદેશ સુધી રદ્દ કરી દીધું છે.
IPL 2020 સસ્પેન્ડ
BCCI સેક્રેટરી જય શાહે આપી માહિતી
લોકોનું આરોગ્ય સુરક્ષિત હશે ત્યારે જ IPL રમાશે : જય શાહ
આગામી આદેશ સુધી સસ્પેન્ડ IPL 2020
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સેક્રેટરી જય શાહે મોટી જાણકારી આપી, જેમાં તેમણે મેલ દ્વારા માહિતી આપી કે મહામારીનાં વ્યાપને રોકવા ભારત સરાકરે લાગૂ કરેલ લોકડાઉન અને સ્વાસ્થ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને BCCI અને IPL ગવર્નીંગ કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે IPL 2020 સીઝનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવે.
જય શાહનું નિવેદન
તેમણે આગળ જણાવ્યું કે 'આપણા દેશમાં રમતગમત સાથે જોડાયેલ ફ્રેન્ચાઈઝી માલિકો, બ્રોડકાસ્ટર, પ્રાયોજક અને દરેક હિતધારકોના આરોગ્ય અને સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બોર્ડ એલાન કરે છે કે IPL 2020 માત્ર ત્યારે જ શરુ કરવામાં આવશે જ્યારે લોકોનું આરોગ્ય સુરક્ષિત હશે.'
ઘણા સમયથી સ્થગિત થઇ રહી છે IPL
નોંધનીય કે આઈપીએલ મૂળ રૂપથી 29મી માર્ચે શરુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી તેને સ્થગિત કરવામાં આવી હતી. હવે તેને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી છે.