ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ કેટલાક મોટા નિર્ણય લીધા છે.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો એક્શન પ્લાન
વનડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનું બનશે પૂલ
ઉભરતા ક્રિકેટરોએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે ત્યાર બાદ નેશનલ ટીમમાં તક
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ કેટલાક મોટા નિર્ણય લીધા છે. આજે બીસીસીઆઈ મુખ્યાલયમાં અધ્યક્ષ રોજર બિન્ની ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને એનસીએના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે એક રીવ્યુ બેઠક કરી હતી જેમાં કેટલાક નિર્ણય લેવાયા છે. ઉભરતા ક્રિકેટરોને લઈને પણ એક મહત્વનો નિર્ણય લેવાયો છે.
વનડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનું બનશે પૂલ
સેક્રેટરી જય શાહે 50 ઓવરના વર્લ્ડકપ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીસીસીઆઈ વનડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનો પૂલ બનાવવા જઈ રહ્યું છે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ 20 ખેલાડીઓને ટીમમાં રોટેટ કરવામાં આવશે. જય શાહે
BCCI shortlists 20 players for 2023 WC, discusses Yo-Yo test, workload management in review meeting
ઉભરતા ક્રિકેટરોએ પહેલા ઘરેલુ ક્રિકેટમાં રમવું પડશે પછી નેશનલ ટીમમાં મળશે તક
પુરુષ ટીમ અને વર્લ્ડ કપ 2023 ની ભાવિ યોજનાઓને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી તમામ આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે કામ કરશે. આઈપીએલ 2023માં રમનારા કોર ક્રિકેટરો પર નજર રાખવામાં આવશે. ઉભરતા ક્રિકેટરોએ પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે ત્યાર બાદ જ તેમને રાષ્ટ્રીય ટીમમાં તક આપવામાં આવશે.
યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટમાં પાસ થનારા ક્રિકેટરોને જ તક
બોર્ડની મીટિંગમાં બીજા પણ નિર્ણય લેવાયા છે જે અનુસાર યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટમાં પાસ થનારા ક્રિકેટરોને જ વધુ તક આપવામાં આવશે. તેમને બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. આ બેઠકમાં બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને એનસીએના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ પણ સામેલ છે.
બેઠકમાં ત્રણ નવા પ્રસ્તાવ પાસ થયા
• ઉભરતા ખેલાડીઓએ હવે સ્થાનિક સીરિઝમાં સતત રમવું પડશે, જેથી તેઓ રાષ્ટ્રીય ટીમની પસંદગી માટે તૈયારી કરી શકે.
• યો-યો ટેસ્ટ અને ડેક્સા સિલેક્શન પ્રોસેસનો હિસ્સો બનશે જે સિનિયર ટીમના પૂલમાં રહેલા ખેલાડીઓ પર લાગુ કરવામાં આવશે.
• ODI વર્લ્ડ કપ 2023 અને અન્ય સીરિઝને ધ્યાનમાં રાખીને, NCA તમામ IPL ફ્રેન્ચાઇઝીસ સાથે વાત કરશે અને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ અંગે ચર્ચા કરશે.
3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ટી20 સિરીઝ
આ સિવાય ટી20 માટે અલગ કોચ અને સપોર્ટિંગ સ્ટાફ પણ લાવી શકાય છે. જોકે બીસીસીઆઈએ આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. સિનિયર ખેલાડીઓને 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા ટી20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, જ્યારે સિનિયર ખેલાડીઓ વનડે સિરીઝમાં ઉપલબ્ધ રહેશે. આ પછી જ્યારે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવે છે, ત્યારે ટી-20ની કેપ્ટનશીપ પર નિર્ણય લેવામાં આવી શકે છે.