ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષની શરૂઆતમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર નીકાળવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ ગત વર્ષે જૂલાઇમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ICC વર્લ્ડકપ સેમિફાઇનલમાં છેલ્લી વખત ટીમ ઇન્ડિયાથી તરફથી રમ્યુ હતુ. હવે ધોનીને BCCI તરફથી વધુ એક ઝટકો લાગ્યો હશે. પોતાના સોશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા પોસ્ટરમાં ધોનીને ગાયબ કરી દીધો છે.
વાસ્તવમાં BCCIએ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 13 મિલિયન ફોલોઅર્સ (1 કરોડ 30 લાખ) પૂરા થતાની સાથે એક તસવીર શેર કરી છે. તેમાં મહિલા અને પુરુષ ટીમના 9 ખેલાડીઓ છે, પરંતુ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ થતો નથી. આ તસવીરમાં જે 9 ખેલાડીઓને સ્થાન મળ્યું છે તેમાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટરોમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ છે.
A post shared by Team India (@indiancricketteam) on
જોકે BCCI ના આ શૅર કરેલા પોસ્ટર પર ફેન્સે નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું - ઓયે, ધોની ક્યાં છે? બીજા એક યુઝરે લખ્યું - ટીમ ઈન્ડિયા ધોની વિના કંઈ નથી.
ધોનીને પહેલેથી જ BCCના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. ત્યારબાદથી તેની નિવૃત્તિની અટકળો તીવ્ર બની હતી. જોકે, તેણે આ અંગે હજી સુધી કંઈ કહ્યું નથી. તે IPL દ્વારા ક્રિકેટ મેદાન પર પાછો ફરશે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોનીના ભવિષ્ય વિશે કહ્યું હતું કે, ટીમમાં તેની વાપસીનો નિર્ણય IPLમાં પ્રદર્શનના આધારે લેવામાં આવશે. લીગના અન્ય વિકેટકીપરની તુલનામાં ધોની કેવું પ્રદર્શન કરે છે. તેનું મૂલ્યાંકન કર્યા પછી જ તેમના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.
જોકે કોરોના વાયરસને કારણે 29 માર્ચથી શરૂ થનારી IPL 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. જોકે હવે આ ટૂર્નામેન્ટ રમાશે કે નહી તે જોવાનું રહેશે.