એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા પોતાનો પહેલો મુકાબલો 28 ઓગસ્ટે પાકિસ્તાન વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. હવે આ ટૂર્નામેન્ટ પહેલા બીસીસીઆઈ પ્રેસિડેન્ડ સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન આપ્યું છે.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 28 ઓગસ્ટે
પાકિસ્તાન સામે હશે ટીમ ઈન્ડિયાની મેચ
સૌરવ ગાંગુલીએ તે પહેલા આપ્યું મોટુ નિવેદન
એશિયા કપ 2022માં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરૂદ્ધ 28 ઓગસ્ટે થવા જઈ રહેલા મુકાબલા દ્વારા કરવા જઈ રહી છે. આ મહામુકાબલાને લઈને બન્ને દેશોના ક્રિકેટ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પ્રેસિડેન્ડ સૌરવ ગાંગુલીએ ભારત-પાકિસ્તાન મેચને લઈને નિવેદન આપ્યું છે.
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગેમને ફક્ત મેચની જેમ જ જોવી જોઈએ. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે પોતાના રમતના દિવસોમાં તે પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલાને એક સ્પેશિયલ મેચના રૂપમાં ન હતા જોતા અને તેમનું લક્ષ્ય હંમેશા ટૂર્નામેન્ટ જીતવાનું રહ્યું હતું.
ગાંગુલીને સારા પ્રદર્શનની આશા
સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, "હું તેને એશિયા કપના રૂપમાં જોઈ રહ્યો છું. મને ભારત વર્સીઝ પાકિસ્તાનના રૂપમાં કોઈ ટૂર્નામેન્ટ નથી દેખાતી. જ્યારે પણ હું પોતાની રમતના દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે રમતો હતો. તો ઈન્ડિયા પાકિસ્તાન મેચને ફક્ત એક મેચ સમજતો હતો. હું તેને ટૂર્નામેન્ટ જીતવા તરફ જોતો હતો."
ભારતની ટીમ પર ખૂબ ભરોસો
બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીને ભારતીય ટીમ પર ખૂબ જ ભરોસો છે અને તેમનું માનવું છે કે ભારત એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું, "ભારત એક સારી ટીમ છે તેમણે હાલના દિવસોમાં ખૂબ સારૂ પ્રદર્શન કર્યું છે. આખા છે કે તે એશિયા કપમાં સારૂ પ્રદર્શન કરશે."