IPLને લઇ ગુજરાતના ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે સ્પષ્ટતા કરી છે કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ-2020ની ફાઇનલ મેચ મુંબઇમાં જ રમવામાં આવશે. આ પહેલા અટકળો લગાવાઇ રહી હતી કે આઇપીએલની હવે પછીની સીઝનની ફાઇનલ મેચ અમદાવાદમાં રમવામાં આવી શકે છે.
IPLને લઇ ગુજરાતી ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર
મેચના સમયમાં ફેરફાર કરવાનો બોર્ડ દ્વારા કરાયો ઇન્કાર
IPL-2020ની ફાઇનલ મેચ મુંબઇમાં જ રમવામાં આવશે
તેની સાથે જ આઇપીએલની ગર્વનિંગ કાઉન્સિંગે સોમવારે નિર્ણય લીધો કે દિવસની બીજી મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ મેચોને રાત્રે સાડા 7 વાગ્યે શરૂ કરવાને લઇને ઘણો દબાવ હતો પરંતુ ગર્વનિંગ કાઉન્સિલે તેમા બદલાવનો નિર્ણય કર્યો નથી.
મુંબઇમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, 13મી સીઝનની ફાઇનલ મેચ 24 મેએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, આઇપીએલની ફાઇનલ મુંબઇમં જ રમવામાં આવશે. આ ઉપરાંત ચેરિટી માટે આઇપીએલ શરૂ થતા પહેલા તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની વચ્ચે એક ઓલ સ્ટાર્સ ગેમ પણ રમવામાં આવશે.
આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલની બેઠક બાદ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું કે, આઇપીએલની રાત્રે યોજાતી મેચોના સમયમાં કોઇ બદલાવ નહીં થાય. સાડા 7 વાગ્યે મેચ શરૂ કરવાને લઇને ચર્ચા થઇ પરંતુ એવું થઇ રહ્યું નથી. તેઓએ સાથે જણાવ્યું કે, માત્ર 5જ ડબલ હેડર (સાંજે 4 વાગ્યે અને 8 વાગ્યે) મેચ રમવામાં આવશે.