ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રામકૃષ્ણ મિશનના મુખ્ય કાર્યાલય વેલૂર મઠ પહોંચ્યા જ્યાં તેમણે કોરોના વાયરસની મહામારીથી કારણે મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે 2000 કિલો ચોખાનું દાન કર્યુ.
સૌરવ ગાંગુલીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યુ કે, ''25 વર્ષ પછી વેલૂર મઠ આવ્યો છું. જરૂરિયાતમંદોની મદદ માટે 2000 કિલો ચોખા આપી રહ્યો છું.'' પૂર્વ કેપ્ટન સફેટ ટી-શર્ટ અને કાળા રંગનુ માસ્ક પહેરીને ત્યાં પહોંચ્યો હતો.
Visited belur math after 25 years .. handed over 2000kgs of rice for the needy pic.twitter.com/FcIqHcWMh7
ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી પણ COVID19 વિરુદ્ઘની લડાઇમાં 50 લાખ રૂપિયાની કિંમતના ચોખાનું દાન કરી ચૂક્યા છે. વેલૂર મઠમાં તેમણે પૂજારીઓ સાથે ગોલ્ફ કોર્ટમાં બેસીને ભ્રમણ કર્યુ.
તો આ પહેલા કોરોના વાયરસ સામે ચાલી રહેલી આ જંગમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ જોડાયપ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી રિલીફ ફંડ ખાતે 51 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યુ છે.
NEWS : BCCI to contribute INR 51 crores to Prime Minister @narendramodi ji's Citizen Assistance and Relief in Emergency Situations Fund
BCCI એક યાદીમાં જણાવ્યુ કે, બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને હોર્ડના અધિકારીઓ તથા રાજ્યના એસોસિયેશનોએ પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં 51 કરોડ રૂપિયાનું દાન કરવાની જાહેરાત કરી છે. બોર્ડ દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષમતાઓને વધારે મજબૂત કરવા અને COVID 19 સામેની જંગ જીતવા માટે આ યોગદાન કરી રહ્યુ છે.