આગામી દિવસોમાં ટીમ ઈન્ડીયામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. બોર્ડ ટી20 ફોર્મેટ રમવાની રીત બદલવા પર વિચાર કરી રહ્યું છે.
આગામી દિવસોમાં ટીમ ઈન્ડીયામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે
BCCI અલગ કોચની નિમણૂંક કરવાના વિકલ્પ પર કરી રહી છે વિચાર
અલગ કેપ્ટન અને સપોર્ટિંગ સ્ટાફની નિમણૂંક કરી શકાય
આગામી દિવસોમાં ટીમ ઈન્ડીયામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. બોર્ડ ટી20 ફોર્મેટ રમવાની રીત બદલવા પર વિચાર કરી રહ્યું છે. આ સ્થિતિમાં આ ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને સપોર્ટિંગ સ્ટાફની નિમણૂંક કરી શકાય.
BCCI હવે T20 ફોર્મેટ માટે અલગ કોચની નિમણૂંક કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. ટીમનું વ્યસ્ત શિડ્યુલ માત્ર ખેલાડીઓ માટે જ નહીં, પણ સપોર્ટિંગ સ્ટાફ માટે પણ મોટો માથાનો દુખાવો છે. તેથી હવે રાહુલ દ્રવિડનું ધ્યાન માત્ર વનડે અને ટેસ્ટ પર જ કેન્દ્રિત કરી શકાય છે.
બોર્ડ ટી20 નાં ફોર્મેટ માટે અલગ કોચ માટે વિચારી રહી છે
BCCI ના એક અધિકારીએ જણાવ્યા હતું કે બોર્ડ આ વિશે વિચાર કરી રહી છે કે ટી20 ફોર્મેટ માટે અલગ કોચ આવી રહ્યા છે. ત્યારે રાહુદ દ્રવિડના લઈને અનેક સવાલો ઉભા થઈ નથી રહ્યા. ત્યારે વ્યસ્ત શિડ્યુલ અને ફોર્મેટની સ્પેશ્યલ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે ટી20 નું શિડ્યુલ ખૂબ જ વ્યસ્ત થઈ રહ્યું છે. ત્યારે આપણે પણ બદલાવવું પડશે.
જાન્યુઆરી સુધીમાં ટીમને મળશે નવો કેપ્ટન અને સેટઅપ
મળતીમાહિતી મુજબ જાન્યુઆરી સુધીમાં ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન અને નવો ટી20 સેટઅપ મળી શકે છે. તમને જણાવી દઈએ કે નવી પસંદગી સમિતિની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે, આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે નવી સમિતિ જ T20 ફોર્મેટના નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે, જે હાર્દિક પંડ્યા હોઈ શકે છે.
T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ નવી રીતની માંગ ઉઠી
જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સતત ઘણી દ્વિપક્ષીય શ્રેણી જીતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં તે આવું કરી શકશે નહીં. એશિયા કપ, T20 વર્લ્ડ કપ 2022માં હાર બાદ નવી રીતની માંગ ઉઠી હતી.
T20 માટે અલગ કેપ્ટન અને અલગ કોચ સ્ટાફ જોવા મળશે
રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકામાં દેખાય છે. જે હવે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. આવી સ્થિતિમાં હવે શક્ય છે કે T20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન અને અલગ કોચિંગ સ્ટાફ જોવા મળશે.