મુંબઈ: IPLમાં આગામી વર્ષથી નવ ટીમ રમે તેવી શક્યતા છે. BCCIની 2020થી બે નવી IPL ટીમ માટે ટેન્ડરની કોઈ યોજના હાલમાં નથી. અહેવાલો અનુસાર બોર્ડ આગામી વર્ષની શરૂઆતમાં ફક્ત એક નવી ફ્રેંચાઇઝી ઉમેરવા ઇચ્છે છે. IPLમાં દસ ટીમના બદલે વર્ષ 2022 સુધી માત્ર નવ ટીમ જ રમે તેવી શક્યતા છે. આનું મોટું કારણ એ છે કે BCCI પાસે હાલ 90થી વધુ મેચની યજમાની કરવા માટે વિન્ડોની કમી છે.
IPLમાં દસ ટીમના બદલે વર્ષ 2022 સુધી માત્ર નવ ટીમ જ રમે તેવી શક્યતા
આગામી IPLમાં ગુજરાતની ટીમનો ઉમેરો થઈ શકે છે
અમદાવાદના મોટેરેમાં સરદાર પટેલ સ્ટેડિયમ નવું બની રહ્યું છે
આઇસીસીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)ને કારણે BCCI તરફથી નવ ટીમની ટૂર્નામેન્ટને મંજૂરી મળશે, જેમાં કુલ 76 મેચ રમાશે. આના માટે વર્તમાન વિન્ડોને વધારી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે જ્યાં સુધી કોઈ નવો એફટીપી 2023માં ના આવી જાય ત્યાં સુધી નવ ટીમ જ IPLમાં રમી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી IPLમાં ગુજરાતની ટીમનો ઉમેરો થઈ શકે છે.
એકથી વધુ સ્થળ પર રોકાણઃ
બીજું મોટું કારણ BCCI નવી ફ્રેંચાઇઝી માટે 300 મિલિયન ડોલર (લગભગ 2000 કરોડ રૂપિયા) આસપાસની બેસપ્રાઇસ પર વિચારણા કરી રહી છે અને હાલ એ સ્પષ્ટ નથી કે એકથી વધુ સ્થળ આવાં રોકાણને આકર્ષિક કરી શકશે કે નહીં.
ગુજરાતની ફ્રેંચાઇઝી હોઈ શકેઃ
અમદાવાદના મોટેરેમાં સરદાર પટેલ સ્ટેડિયમ નવું બની રહ્યું છે અને મેચના આયોજન માટે આગામી વર્ષે માર્ચ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. 1.10 લાખ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમ માટે કે જે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની જવાનું છે- એ સ્થિતિમાં ગુજરાતની ફ્રેંચાઇઝીનો આગામી IPL સિઝનમાં ઉમેરો થઈ શકે છે. અમદાવાદમાં ક્રિકેટ માટેનાં ઉપલબ્ધ સંસાધનોને નજરમાં રાખતાં આ વાત શક્ય બની શકે છે. જો ફ્રેંચાઇઝી માટે ટેન્ડર બહાર પડશે તો સ્પષ્ટ રીતે ઘણા લોકો ગુજરાતની ફ્રેંચાઇઝીના પક્ષમાં રહેશે.
આ ટીમ તો રમશે જઃ
IPLની અત્યાર સુધીમાં 12 સિઝન રમાઈ ચૂકી છે. 2019માં આઠ ટીમ મેદાનમાં ઊતરી હતી, જેમાં ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટરાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સામેલ છે.