વિરાટ શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ સીરીઝમાં પોતાની 100મી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. જોકે આ મુકાબલા પહેલા જ વિરાટ કોહલીને એક મોટો ઝટકો લાગ્યો છે.
વિરાટ કોહલીને ઝટકો
100મી ટેસ્ટ મેચ પહેલા ખરાબ સમાચાર
BCCIએ લીધો આ નિર્ણય
વિરાટ કોહલી માટે પાછળનો થોડો સમય ખાસ રહ્યો નથી. વિરાટ ત્રણેય ફોર્મેટમાં પોતાની કપ્તાની ગુમાવી બેસ્યો છે તથા બે વર્ષથી તેમનું બેટ સદી ફટકારી શક્યું નથી. પરંતુ હવે વિરાટ શ્રીલંકા વિરુદ્ધ આગામી ટેસ્ટ સીરીઝમાં પોતાની 100મી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. જોકે આ મુકાબલા પહેલા જ વિરાટ કોહલીને એક મોટો ઝટકો લાગ્યો છે.
કોહલીને લાગ્યો મોટો ઝટકો
પંજાબ ક્રિકેટ સંઘનાં એક અધિકારીએ કહ્યું કે BCCI ભારત તથા શ્રીલંકા વચ્ચે અહી ચાર માર્ચથી શરુ થનાર પહેલી ટેસ્ટ માટે દર્શકોને અનુમતિ નહિ મળે જે મહાન ક્રિકેટર વિરાટની 100મી ટેસ્ટ મેચ પણ હશે. મોહાલીમાં તથા તેની આસપાસ કોવિડ 19નાં તાજેતરમાં મામલાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે. સાથે જ આ પહેલુને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે મોટાભાગના ભારતીય ખેલાડી બીજી ટેસ્ટના પુરા થયા બાદ 'બબલ સે બબલ ટ્રાન્સફર' માં પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમો સાથે જોડાય જાય છે.
મેચ જોવા માટે નહી હોય ફેંસ
પીસીએના વરિષ્ઠ કોષાધ્યક્ષ આર પી સિંગલાને પીટીઆઈએ કાહ્યું કે BCCIનાં દિશાનિર્દેશો અનુસાર, ટેસ્ટ મેચ માટે ડ્યૂટી પર રહેનાર લોકો સિવાય સામાન્ય દર્શકોને અનુમતિ નહી મળે. તેમણે કહ્યું કે મોહાલીમાં તથા આસપાસ તાજેતરમાં કોવિડ 19નાં મામલાઓ સામે આવી રહ્યા છે એટલે સારું રહેશે કે અમે સૌ સુરક્ષા પ્રોટોકોલ અપનાવીએ. નિશ્ચિંત રૂપથી ફેંસને નિરાશા થશે કેમકે મોહાલીમાં આંતરરાષ્ટ્રીય મેચ લગભગ ત્રણ વર્ષ બાદ રમાઈ રહી છે.
વિરાટ માટે સુવર્ણ તક
જોકે, પીસીએ કોહલીના ચમકદાર ક્રિકેટ કરિયરનાં આ શાનદાર મોકાની ખુશી મનાવવા માટે આખા સ્ટેડિયમમાં 'બિલબોર્ડ' લગાવી રહ્યું છે. તેમને કહ્યું કે અમે મોટા બિલબોર્ડ લગાવી રહ્યા છીએ તથા અમારી પીસીએ પરિષદે વિરાટને સમ્માનિત કરવાનો પણ નિર્ણય લીધો છે. અમે BCCIનાં નિર્દેશ અનુસાર, આ મેચની શરૂઆતમાં કરશું અથવા અંતમાં