કોઈ પણ ભારતીય ખેલાડી જેને નિવૃત્તિ લઈ લીધી છે પણ IPLમાં રમી રહ્યા છે એવા ભારતીય ખેલાડીને દક્ષિણ આફ્રિકા અને UAE ની T20 લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી
UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ ક્રિકેટ લીગ શરૂ થવા જઈ રહી છે
કોઈ પણ ખેલાડીઓ બીજી ક્રિકેટ લીગમાં હિસ્સો લઈ શકશે નહીં.
હિસ્સો લેવો હશે તો તેને બીસીસીઆઈ સાથે દરેક સંબધો પૂરા કરવા પડશે
IPLની જેમ જ UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ ક્રિકેટ લીગ શરૂ થવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાં આયોજનારી લીગમાં ભાગ લેનારી ટીમોને આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ જ ખરીદી લીધી છે. આવું થયા છતાં પણ ભારતીય ખેલાડીઓ માટે આ લીગનો ભાગ બનવું મુશ્કેલ બનશે. હાલ BCCIના કહેવા પરથી એવું લાગી જ રહ્યું છે. BCCI સાફ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ ભારતીય ખેલાડી જેને નિવૃત્તિ લઈ લીધી છે પણ IPLમાં રમી રહ્યા છે એવા કોઈપણ ભારતીય ખેલાડીને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા દક્ષિણ આફ્રિકા અને UAE ની T20 લીગમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આટલું જ નહીં પણ IPLમાં રમનાર કોઈપણ વ્યક્તિને આ વિદેશી લીગમાં મેન્ટર બનવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
એટલે કે સાફ શબ્દોમાં આ વાતને સમજીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં ટીમ માટે મેન્ટરશિપની ભૂમિકામાં રહેલ એમએસ ધોનીનો ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હજુ પણ મેચ રમી રહ્યા છે.
નહીં લઈ શકે હિસ્સો
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ' એ સાફ છે કે કોઈ પણ ખેલાડીઓ બીજી ક્રિકેટ લીગમાં હિસ્સો લઈ શકશે નહીં. જ્યાં સુધી એ ખેલાડી ભારતીય ટીમના દરેક ફોર્મેટમાંથી રીટાયર નથી થઈ જતો ત્યાં સુધી એ હિસ્સો લઈ શકશે નહીં. એ છતાં પણ કોઈ ખેલાડીને યુએઇ કે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ લીગમાં હિસ્સો લેવો હશે તો તેને બીસીસીઆઈ સાથે દરેક સંબધો પૂરા કરવા પડશે.'
ધોની આઈપીએલ સાથે પણ સંબંધો પૂરા કરવા પડશે
શું ધોની જેવા ખેલાડી મેન્ટર કે કોચ રૂપે હિસ્સો લઈ શકે? આ પ્રશ્ન પૂછવા પર બીસીસીઆઈના અધિકારીએ કણાવ્યું હતું કે,' જો એ આ રીતે પણ હિસ્સો લેશે તો તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે પછી કોઈ પણ મેચ નહીં રમી શકે. એમને પહેલા અહિયાંથી રીટાયર થવું પડશે.' એટલે કે આઈપીએલ સાથેના દરેક સંબંધો તોડવા પડશે અને એ પછી કી વિદેશી લીગમાં હિસ્સો લઈ શકશે.
"No Indian player, contracted or retired and playing in IPL, will be allowed by the Indian cricket board to feature in the two upcoming T20 leagues of South Africa and UAE"
દિનેશ કાર્તિકે પણ માંગી હતી માફી
વર્ષ 2019 માં દિનેશ કાર્તિકે પણ BCCI સાથેના તેના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટનું ઉલ્લંઘન કરવા બદલ માફી માંગવી પડી હતી.એ સમયે દિનેશ કાર્તિકે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૂમમાંથી કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઈ હતી. BCCI સાથેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ કાર્તિકે મેચમાં જોડાતા પહેલા BCCIની રજા લેવી પડે અને દિનેશ કાર્તિકે એ પરવાનગી લીધી નહતી. એટલા માટે માફી પણ માંગી હતી.