ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઋષિકેશ કાનિતકર મહિલા ટીમના નવા બેટિંગ કોચ તરીકે જવાબદારી સંભાળશે અને આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાં ટીમ સાથે જોડાશે.
મહિલા ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે
મહિલા ટીમના મુખ્ય કોચને બદલવામાં આવ્યા
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા સામેની આવનાર T20 સીરિઝ પહેલા મહિલા ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે ભારતીય બોર્ડે મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પવારને નવી જવાબદારી હેઠળ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મોકલવાનો નિર્ણય કર્યો છે અને ભૂતપૂર્વ ક્રિકેટર પવાર હવે NCAમાં VVS લક્ષ્મણની આગેવાની હેઠળની ટીમનો ભાગ બનશે.
જણાવી દઈએ કે એમની જગ્યા એ હવે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઋષિકેશ કાનિતકર મહિલા ટીમના નવા બેટિંગ કોચ તરીકે જવાબદારી સંભાળશે અને આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરિઝમાં ટીમ સાથે જોડાશે. કાનિતકર ભારતીય પુરૂષ ટીમ સાથે તાજેતરના ન્યુઝીલેન્ડ પ્રવાસમાં કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહી ચૂક્યા છે.
🚨 NEWS 🚨: Hrishikesh Kanitkar appointed as Batting Coach - Team India (Senior Women), Ramesh Powar to join NCA
બેટિંગ કોચ તરીકે મારા માટે એક રોમાંચક સફર- કાનિતકર
ઋષિકેશ કાનિતકરે કહ્યું કે બેટિંગ કોચ તરીકે સિનિયર મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાવું મારા માટે સન્માનની વાત છે અને મને આ મહિલા ટીમમાં જબરજસ્ત ક્ષમતા દેખાય છે. આપણી મહિલા ટીમમાં યુવાનો અને અનુભવનું સારું મિશ્રણ છે. અમારી ટીમ આગામી પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કેટલીક મોટી ટૂર્નામેન્ટ આવી રહી છે. ટીમ સાથે બેટિંગ કોચ તરીકે મારા માટે આ એક રોમાંચક સફર બની રહેશે.
કાનિતકરે 1997 થી 2000 ની વચ્ચે ભારત માટે બે ટેસ્ટ અને 34 વનડે રમી હતી. આ દરમિયાન એમને વનડેમાં અડધી સદીની મદદથી 339 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 17 વિકેટ પણ લીધી હતી.