વર્લ્ડ કપનું ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યા પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ક્રિકેટ ટીમના હેડ કોચ સહિત સ્ટાફ બદલવાનો નિર્ણય કર્યો છે.
બોર્ડે આ પદ માટે અરજી કરવા માટે આમંત્રિત કર્યા છે. આ સાથે જ નક્કી છે કે, આગામી સમયમાં રવિ શાસ્ત્રીને ફરી ટીમ ઇન્ડિયાના હેડ કોચ નહી બનાવવામાં આવે. 2 વર્ષ પહેલા સ્પિનર અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ ટીમની સાથે કોચિંગ કરિયરના વિવાદસ્પદ અંત પછી કોચિંગની જવાબદારી સંભાળનારા શાસ્ત્રીના સમયગાળામાં ટીમ ઇન્ડિયા ICC ટૂર્નામેન્ટ નથી જીતી શકી. જોકે ટીમે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરિઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો.
કોચના રૂપમાં શાસ્ત્રી ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પહેલી પસંદ હતા. માનવામાં આવી રહ્યુ છે કે, અનિલ કુંબલે પછી વિરાટના પ્રેશરના લીધે શાસ્ત્રીને આ પદ આપવામાં આવ્યુ હતુ. જુલાઈ 2017માં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ નિયુક્ત કરતા પહેલા BCCIએ 9 પોઈન્ટ ધરાવતા દિશાનિર્દેશ જાહેર કર્યા હતા, જેમાં સ્પષ્ટતા નહોતી. જો કે આ વખતે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ માટે ત્રણ પોઈન્ટના દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
યોગ્યતા માપદંડો અનુસાર, હેડ કોચની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઇએ જ્યારે ઓછામાં ઓછા 2 વર્ષનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ હોવો જોઇએ. બોર્ડ હેડ કોચ સિવાય બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફિઝિયોથેરેપિસ્ટ, સ્ટેન્થ એન્ડ કન્ડીશનિંશ કોચ અને મેનેજરને નિયુક્ત કરશે. આ તમામ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂલાઇ સુધીની છે.
BCCIએ કહ્યુ કે, 'ટીમ ઇન્ડિયાના હાલમાં કોચિંગ સ્ટાફને નિયુક્તિની પ્રક્રિયા માટે સ્વત: પ્રવેશ મળશે. એટલે કે, રવિ શાસ્ત્રી તથા ટીમથી જોડાયેલા અન્ય કોચને કોઇ અરજી કરવાની જરૂર નહી પડે. તેઓ ફરી પદ મેળવી શકે છે. જોકે ટીમના નવા ટ્રેનર અને ફિઝિયો મળવા નક્કી છે કેમકે વર્લ્ડ કપમાં ભારતની હાર પછી શંકર બસુ અને પેટ્રિક ફરહાર્ટની ટીમથી અલગ થઇ ગયા છે.
ટીમ ઇન્ડિયાની 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલનારા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસને ધ્યાનમાં રાખીને શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને કોન્ટ્રાક્ટ 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયાનું ઘરેલૂ સત્ર સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. શાસ્ત્રી ઓગસ્ટ 2014થી જૂન 2016 સુધી ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રહ્યા હતા.
ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે શું છે શરતો:
- BCCIએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યા છે તે કડક છે. આ માપદંડોનો મતલબ છે ટ્રેવર બૈસિલ અને મિકી આર્થર જેવા મોટા કોચ પણ આ રેસમાં શામેલ નહી થઇ શકે.
- હેડ કોચની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઇએ, આ સાથે જ ટેસ્ટ રમનારા દેશને ન્યૂનતમ 2 વર્ષની કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઇએ.
- એસોસિયેટ સભ્ય, એ ટીમ, IPL ટીમને ત્રણ વર્ષ કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. સાથે જ અરજી કરનાર વ્યક્તિ 30 ટેસ્ટ કે 50 આંતરરાષ્ટ્રીય વન ડે રમી ચૂક્યો હોવો જોઈએ.
- બેટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ કોચની માટે માપદંડો સરખા છે. ફક્ત અરજી કરનાર માટે રમેલી મેચની સંખ્યા જુદી જુદી છે.આ 3 પદ માટે અરજી કરતાએ ઓછામાં ઓછી 10 ટેસ્ટ અથવા તો 25 વનડે મેચ રમી હોવી જોઇએ.