ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરુ થનારી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાશે, જે મેચ માટે પીએમ મોદીને બીસીસીઆઈ દ્વારા આમંત્રિક કરાયા છે.
ચેન્નાઈમાં રમાનાર ટેસ્ટ મેચમાં દર્શકોનાં પ્રવેશ પર અવઢવ
મોટેરામાં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાશે
જીસીએનાં પ્રેસિડેન્ટ અમિત શાહ પણ મેચમાં હાજર રહી શકે
ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં યોજાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ હાલ ભારત પહોંચી ગઈ છે. 5 ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈ ખાતે શરુઆતની બે ટેસ્ટ મેચો રમાશે. જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે.
મોટેરામાં સૌપ્રથમ ઈન્ટરનેશન મેચ રમાશે
અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજવામાં આવનાર ટેસ્ટ મેચો માટે પહેલીવાર દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. કોવિડ-19 મહામારી બાદ ભારતમાં પહેલીવાર કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ 1,10,000 દર્શકોની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટુ સ્ટોડિયમ છે જ્યાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચથી પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે.
પીએમ મોદીને પ્રથમ મેચ માટે આમંત્રિત કરાયા
મોટેરામાં યોજાનાર પ્રથમ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ માટે બીસીસીઆઈ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી પ્રેસિડેન્ટ જે. પી. નડ્ડા અને યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજીજુને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમની સાથે ભારતનાં ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ છે તેઓ પણ આ મેચમાં જોડાઈ શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેચ 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે.