બીસીસીઆઇ જલ્દી ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચને પસંદ કરી શકે છે અને રવિ શાસ્ત્રી પર વર્લ્ડકપમાં ભારતની હાર માટે જવાબદાર ગણાવી શકે છે. બીસીસીઆઅ ભારતના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ પદ માટે અરજી લેશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ એ માટેની જાહેરાત 1 2 દિવસમાં કરશે. રવિ શાસ્ત્રનો કાર્યકાળ વર્લ્ડકપ બાદ સમાપ્ત થઇ ગયો છે, પરંતુ વેસ્ટઇન્ડિઝ પ્રવાસને જોતા એને 45 દિવસ માટે વધારવામાં આવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ ફરીથી કોચ બનવા માટે અરજી કરવી પડશે. હવે એ જોવાનું રસપ્રદ હશે કે વર્લ્ડકપ જીતવાની તક ગુમાવ્યા બાદ શું શાસ્ત્રીને બીજી એક તક મળશે?
સપોર્ટ સ્ટાફમાં સામેલ બોલર કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગડ અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધર સામેલ છે. આ પણ ફરીથી અરજી કરી શકે છે.
ટીમ ઇન્ડિયાના ટ્રેનર શંકર બસુ અને ફીઝિયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડ કપ બાદ રાજીનામું આપી ચુક્યા છે. એમની જગ્યાએ નવા ટ્રેનર અને ફિઝીયોની પણ પસંદગી થવાની છે. ટીમ ઇન્ડિયાની વેસ્ટઇન્ડિઝ સફર 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ બાદ ઘરેલૂ સીરિઝમાં 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રમશે. આ પહેલા નવા કોચ અને સહયોગી સ્ટાફની પસંદગી થવાની આશા છે.
શાસ્ત્રી 2017માં અનિલ કુંબલેની જગ્યાએ બન્યા હતા. એમની કોંચિંગમાં ભારતીય ટીમ આઇસીસીની કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. એમાં વર્લ્ડ કપ પણ સામેલ છે. જો કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ટેસ્ટ સીરિઝ જીતવામાં જરૂર સફળ રહી.
બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે, 'અમારી વેબસાઇટ પર આવતા એક બે દિવસમાં આ પદો માટે અરજી આપવામાં આવશે. સહયોગી સ્ટાફ ઉપરાંત મેનેજર પદ માટે પણ નવા આવેદન મંગાવવામાં આવશે.' તમિલનાડુના પૂર્વ કેપ્ટન સુનીલ સુબ્રહમમણ્યમને 2017માં એક વર્ષના કોન્ટ્રાક્ટ પર ટીમ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં એમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો.
બીસીસીઆઇમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીઓએ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીના ભારત પરત ફરવા પર સમીક્ષાની સાથે સાથે આ મોટી ટૂર્નામેન્ટ માટે ટીમ સિલેક્શનને લઇને પણ વાતચીત કરશે.