દેશભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે હમણાં દેશમાં ક્રિકેટ રમાડી શકાય તેમ નથી. IPL સપ્ટેમ્બર થી નવેમ્બર માં ચાલુ થશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે ડિસેમ્બર સુધી ભારતીય ક્રિકેટ ટીમ ભારત માં કોઈ મેચ રમી શકશે નહિ.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય વિકેટકીપર સબા કરીમને BCCI મહાપ્રબંધક ક્રિકેટ પરિચાલનના પદ પરથી રાજીનામું આપવા જણાવ્યું છે. ભારત માટે એક ટેસ્ટ અને 34 વન-ડે મેચ રમનાર 52 વર્ષીય કરીમને ડિસેમ્બર ૨૦૧૭માં BCCI દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. બોર્ડે આ મામલામાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, પરંતુ જાણવા મળ્યું છે કે તેઓ કોરોનાના સમયમાં ઘરેલું ક્રિકેટને લઈને કરીમની યોજનાથી સંતુષ્ટ ન હતાં.
સૌરવ ગાંગુલીને સમર્થન કરનાર અધિકારી દ્વારા સબા કરીમના રાજીનામાની વાત કરવામાં આવે એ ખરેખર ચિંતાજનક છે. જો કે, વર્ષોથી BCCIમાં અલગ અલગ પાડો પર રહેતા સબા કરીમનું યોગદાન શાનદાર રહ્યું છે.
BCCIના એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હા તેઓને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે, તેઓ કોવિડ 19 મહામારીને લઈને ડોમેસ્ટિક ક્રિકેટ માટે કોઈ ખાસ આયોજન કરી શક્યા નથી. ડોમેસ્ટિક ક્રિકેટ ડિસેમ્બર પહેલા શરૂ થવાની સંભાવના ખુબ જ ઓછી છે કેમ કે દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જે પ્રમાણે અટકળો ચાલી રહી છે કે, IPL સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચેના સમયગાળામાં થાય તો ડોમેસ્ટિક ક્રિકેટ ડિસેમ્બર સુધી રમાડી શકાય એમ નથી.
આ મહિનાની શરૂઆતમાં BCCIના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરીના રાજીનામાને સ્વીકાર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. બોર્ડના મુખ્ય નાણાકીય અધિકારી સંતોષ રંગનેકરે પણ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું.