દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે, રોજ હજારોમાં નવા દર્દીઓ આવે છે અને હોસ્પિટલમાં ભર્તી થાય છે. અત્યાર સુધી દેશમાં 9 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીના ભાઇ સ્નેહાશિષનો કોરોના રિપોર્ટ પોઝીટવ આવ્યો છે.
સૌરવ ગાંગૂલીના ભાઇ કોરોના સંક્રમિત
સ્નેહાશિષના રિપોર્ટ આવ્યો પોઝીટીવ
દાદા થયા હોમ કોરંટાઇન
સૌરવ ગાંગૂલીના ભાઇ સ્નેહાશીષ સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને ભાઇ એક જ ઘરમાં અલગ અલગ માળે રહે છે. જૂનમાં પણ સ્નેહાશીષના કોરોના પોઝીટીવ હોવાની ખબર આવી હતી પરંતુ તે સમાચાર અફવા હતી તેવું સ્નેહાશીષે પોતે જણાવ્યું હતું.
જૂન મહિનામાં આવેલી અફવાને કારણે સ્નેહાશીષને સફાઇ આપવી પડી હતી અને કહ્યું હતું કે તેમને કોઇ પણ કોરોનાના લક્ષણ નથી અને આ ખબર ખોટી છે. તમને જણાવી દઇએ કે સૌરવ ગાંગૂલીના ભાઇ સ્નેહાશીષ બંગાળ ક્રિકેટ એસોશિએશનના હેડ છે.
સંક્રમિત હોવાની ખબર આવતા સમગ્ર ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે અને બાકીના પરિવારને કોરંટાઇન કરવામાં આવ્યો છે. સ્નેહાશીષના સમગ્ર પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી સ્નેહાશીષને તાવ હતો જેથી તેઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે આજે પોઝીટીવ આવ્યો છે. જેથી તેમને બેલે વ્યૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગૂલી તેમના પરિવાર સાથે તેમના જૂના ઘરમાં જ રહે છે અને ભાઇનો રિપોર્ટ પોઝટીવ આવતા તે હોમ કોરંટાઇન થઇ ગયા છે.
ગાંગૂલી હાલ પોતાની હેલ્થને લઇને કોઇ નિવેદન નથી આપ્યુ પરંતુ થોડા દિવસ પહેલા તેમણે ભારતીય ક્રિકેટ ટીમને લઇને કહ્યું હતુ કે કોવિડ-19ના લીધે ભારતીય ટીમ માટે ક્રિકેટ રમવુ હિતાવહ નથી, માટે થોડો સમય ક્રિકેટ નહી રમી શકે. ઓગસ્ટ મહિનાથી કદાચ ટ્રેનિંગ કેમ્પ શરૂ થાય. હવે ગાંગૂલીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવે છે કે નેગેટીવ તે જોવું રહેશે.