ભારતમાં આવતાં વર્ષે થનારી વનડે વર્લ્ડ કપ માટે જો ICC નાં બ્રોડકાસ્ટ ટેક્સ પર 21.84% સરચાર્જ લગાવવાનાં પોતાના નિર્ણય પર જો ભારત સરકાર અડગ રહે છે તો BCCIને આશરે 955 કરોડ રૂપિયાનું નુક્સાન થઇ શકે છે.
BCCIને મોટું નુકસાન થઇ શકે છે
બ્રોડકાસ્ટ ટેક્સ પર 21.84% સરચાર્જ લગાવાયો
BCCIને ભારત સરકારને ભરવું પડશે રૂ.955 કરોડ સરચાર્જ
2023માં ભારતમાં થનારાં વનડે વર્લ્ડ કપ માટે જો ICCના બ્રોડકાસ્ટ ટેક્સ પર 21.84% જેટલું સરચાર્જ લાગશે તો BCCIને કરોડોનું નુક્સાન થશે તે નિશ્ચિત છે. ભારતમાં આવતાં વર્ષે ઑક્ટોબર- નવેમ્બરમાં 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ થશે. સરચાર્જ એટલે પ્રારંભિક કિંમત સિવાયના કોઈપણ માલ- સામાન અથવા સેવાઓ પર વધારાની ફી અથવા કરની વસૂલાત કરવી. આ સામાન્ય રીતે વર્તમાન કરમાં જ ઉમેરવામાં આવે છે અને તે માલ અથવા સેવાની કિંમતમાં શામેલ હોતો નથી.
BCCIને 955 કરોજ રૂપિયાનું થશે નુક્સાન
આઇસીસી અનુસાર ઓર્ગેનાઇઝર દેશને સરકારથી ICC ટુર્નામેન્ટોના આયોજન માટે ટેક્સમાં રાહત લેવાની હોય છે. ભારતનાં ટેક્સના નિયમોમાં આ રીતની છૂટની કોઇ જોગવાઇ છે નહીં. 2016માં ટી20 વર્લ્ડ કપની મેજબાનીમાં પણ BCCIને આવી કોઇ છૂટ મળી હતી નહીં અને તેનાથી 193 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું. આ મામલો આઇસીસીના ટ્રિબ્યૂનલમાં પેન્ડિંગ છે.
BCCIએ મોકલી રિપોર્ટ
BCCIએ 18 ઑક્ટોબર 2022નાં રોજ થનારી એજીએમથી પહેલાં રાજ્ય એકમો દ્વારા મોકલવામાં આવેલ અહેવાલમાં કહ્યું છે કે 'આઇસીસીની આવનારી મોટી ટૂર્નામેન્ટ ICC વર્લ્ડ કપ 2023નાં ઑક્ટોબર - નવેમ્બર માહમાં થવાની છે. બીસીસીઆઇને એપ્રિલ 2022 સુધી આઇસીસીને કરમુક્તિ માટેની અરજી એપ્રિલ 2022 સુધી મોકલવાની હતી. '
2023 વર્લ્ડકપથી પહેલાં જ થઇ ગયું નુક્સાન
રિપોર્ટમાં એવું પણ કહ્યું છે કે 'આઈસીસીએ સમયસીમા વધારીને 31 મે કરી દીધી હતી. બીસીસીઆઇએ આ નાણાકીય વર્ષની શરૂઆતમાં જ આઇસીસીને કહ્યું હતું કે 10% વધારે કર ભરવું પડી શકે છે.' જો 21.84% કર ચૂકવવું પડશે તો આઇસીસી બોર્ડ પર તેની વિપરીત અસર પડી શકે છે.
કર ઘટાડવા થઇ રહી છે વાતચીત
માહિતી અનુસાર, BCCI વધારાનાં 21.84% જેટલા કરને ઘટાડીને 10.92% કરવા માટે વાતચીત કરી રહી છે. જો આ પગલું સફળ રહે છે તો તેને આવકમાં 430 કરોડ રૂપિયાનું નુક્સાન થશે. આઇસીસીનાં 2016થી 2023 વચ્ચેના આવકપૂલમાં BCCIનો હિસ્સો આશરે 3336 કરોડ રૂપિયા છે. આઇસીસીને ભારતમાં 2023માં થનાર ટૂર્નામેનેટ પ્રસારણથી 4400 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે.