પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ હાલમાં BCCIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી, જે અંગેની સ્પષ્ટતા પણ જય શાહે કરી છે. જો કે અગાઉ એવી અટકળો ચાલતી હતી કે, તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે.
સૌરવ ગાંગુલીના ટ્વિટથી અનેક તર્ક વિતર્ક થયાં
સૌરવ ગાંગુલીએ નથી આપ્યું રાજીનામુ
જય શાહે કરી સ્પષ્ટતા, દાદાએ ટ્વિટ કરી આપ્યા નવા સંકેત
પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ હાલમાં BCCIના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું નથી, જે અંગેની સ્પષ્ટતા પણ સચિવ જય શાહે કરી છે. જો કે અગાઉ એવી અટકળો ચાલતી હતી કે, તેમણે અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, તેમણે હાલમાં જ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પરથી એક ભાવૂક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે અત્યાર સુધીની સફર વિશે ફેન્સ અને સાથી ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાંગુલીએ તેની સાથે આગળની સફર માટે લોકોનું સમર્થન પણ માગ્યું હતું. સૌરવ ગાંગુલીના આ પ્રકારના ટિવટથી અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.
Sourav Ganguly has not resigned as the president of BCCI: Jay Shah, BCCI Secretary to ANI pic.twitter.com/C2O3r550aL
વર્ષ 2022 ક્રિકેટમાં મારા 30 વર્ષ થયા છે. મેં 1992માં રમવાનું શરૂ કર્યું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી ક્રિકેટે મને ઘણુ બધું આપ્યું છે. સૌથી મહત્વનું આપ સૌનો સાથ આપ્યો છે. હું એવા દરેક લોકોનો આભાર માનુ છું જે મારી આ સફરનો ભાગ રહ્યા છે. મારો સાથ આપ્યો અને આજે હું અહીં સુધી પહોંચી શક્યો. આજે હું કંઈક નવું કરવાની શરૂઆત કરી રહ્યો છું. જેનાથી મને લાગે છે કે, કદાચ કેટલાય લોકોની મદદ થશે. હું આશા રાખું છું કે, જીવનની આ નવી શરૂઆત આપની સાથે આમ જ બની રહે.
હાલમાં જ કલકત્તામાં વિક્ટોરિયા મેમોરિયલમાં સંસ્કૃતિ મંત્રાલય તરફથી આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થતાં ગૃહમંત્રી અમિત શાહે સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમિત શાહે સૌરવના ગાંગુલીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ એક સાથે ડીનર પણ કર્યું હતું. આ દરમિયાન સુવેંદુ અધિકારી અને કેટલાય અન્ય ભાજપના નેતાઓ પણ ડિનરમાં જોડાયા હતા.