ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરીએકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પડ્યા ફરી બીમાર
કોલકત્તાની હોસ્પિટલમાં કરાયા દાખલ
થોડાં દિવસ અગાઉ જ ઍન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે તેમણે ફરીવાર છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક અસરથી અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited.
ગાંગુલીને ફરી એક વખત છાતીમાં દુઃખાવો થતાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડાં દિવસ પહેલાં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેકને પગલે દાખલ વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. હવે તેમની ફરી એક વખત તબિયત લથડતા વુડલૅન્ડ્સ હોસ્પિટલે કહ્યું છે કે સૌરવ ગાંગુલીને ધમનીઓમાં પરીક્ષણ કરવાનું છે. જેથી તેમને હવે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
2 ધમની બ્લોક
મળતી માહીતી અનુસાર સૌરવની એન્જીઓપ્લાસ્ટી પૂર્ણ થઇ છે અને તેમને એક સ્ટેન્ટ લગાવવામાં આવ્યું છે. સર્જરી બાદ ગાંગુલીની હાલત સ્થિર છે. શુક્રવારે રાત્રે તેમને હ્રદયમાં દુઃખવાની શરૂઆત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ વુડલૅન્ડ્સ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. 2 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક બગડી હતી જેના બાદ તેમને કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.
2 જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં જિમમાં વર્કઆઉટ કરતી વખતે ગાંગુલીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક પરિવારે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
2019માં બન્યા હતા અધ્યક્ષ
ઑક્ટોબર 2019માં મુંબઈમાં બીસીસીઆઈની મહાસભાની બેઠક દરમિયાન ગાંગુલીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલક સમિતિના 33 મહિનાના વિવાદિત કાર્યકાળનો અંત આવ્યો હતો. ગાંગુલી બીસીસીઆઈના 39 મા પ્રમુખ છે. તેમણે સી કે ખન્નાની જગ્યા લીધી, જે 2017 થી બોર્ડના વચગાળાના વડા હતા.