BCCI જલ્દી જ ટીમ ઈન્ડિયામાં ક્રાંતિકારી ફેરફાર કરી શકે છે. દરેક ફોર્મેટમાં હવે અલગ અલગ ટીમો જોવા મળી શકે છે. નવી પસંદ સમિતિ આવ્યા બાદ બીસીસીઆઈ દ્વારા આ પ્લાનને લાગુ કરવામાં આવી શકે છે.
BCCI લઈન શકે છે મોટો નિર્ણય
નવી ટીમમાં થઈ શકે છે મોટો ફેરફાર
રોહિત શર્માની થશે છુટ્ટી?
છેલ્લા 9 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહેલી ટીમ ઈન્ડિયામાં હવે નવા અને મોટા ફેરફાર જોવા મળી શકે છે. નવા વર્ષમાં એટલે કે 2023માં ટીમ ઈન્ડિયા માટે મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. BCCI હવે દરેક ફોર્મેટ માટે અલગ પ્રકારનો પ્લાન બનાવવા પર કામ કરી રહ્યું છે. તેના માટે દરેક ફોર્મેટમાં એક અલગ ટીમ હશે. જે લીડર હશે અને રણનીતિ પણ અલગ જ હશે.
ટીમ ઈન્ડિયામાં થશે ક્રાંતિકારી ફેરફાર
એક રિપોર્ટ અનુસાર નવા વર્ષની આસપાસ ટીમ ઈન્ડિયાને નવી પસંદગી સમિતિ મળી શકે છે. ત્યાર બાદ નવી પસંદગી સમિતિ જ જવાબદાર હશે કે તે દરેક ફોર્મેટ માટે ટીમ ઈન્ડિયાને નવી રીતે તૈયાર કરે. એવામાં જલ્દી જ ટીમ ઈન્ડિયામાં એક ક્રાંતિકારી ફેરફાર જોવા મળી શકે છે.
દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટન
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટનને લઈને મૂડ બનાવી ચુકી છે. સાથે જ દરેક ફોર્મેટનું એક અલગ પુલ પણ તૈયાર હશે. પહેલા પણ આ પ્રકારના રિપોર્ટ્સ સામે આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જલ્દી જ ટી-20 ટીમની કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે.
રોહિત શર્માનું શું થશે?
રોહિત શર્મા હાલ ટીમ ઈન્ડિયાના દરેક ફોર્મેટમાં રેગ્યુલર કેપ્ટન છે. પરંતુ ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટના કારણે તે સતત બ્રેક લેતા રહે છે. આ વચ્ચે તેમને ઈજા પણ પહોંચી હતી. એવામાં હવે બની શકે છે કે નવી પસંદગી સમિતિ આવતા જ રોહિત શર્માના રોલને પણ સ્પષ્ટ કરી દેવામાં આવે.
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને આ વર્ષે વન ડેનો વર્લ્ડ કપ રમવાનો છે. જે ભારતમાં જ થશે. એવામાં આ ફોર્મેટમાં તરત કોઈ મોટો ફેરફાર સંભવ નહીં થાય એવામાં ટી-20 વર્લ્ડ કપ 2024 અને સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દિશામાં આગળ વધી શકે છે.