ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વિકેટકીપર બેટ્સમેન રિદ્ઘિમાન સાહાને દિલ્હીના વિરુદ્ઘ થનારી રણજી ટ્રોફી મેચ રમવા માટે ના પાડી દીધી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર પોતાને ફિટ રાખી શકે, આજ કારણથી બોર્ડે આ નિર્ણય લીધો છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ૨૧ ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરિઝ
ડે-નાઇટ ટેસ્ટના દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો સાહા
૩૫ વર્ષના સાહા ગત વર્ષે નવેમ્બરમાં રમાયેલી બાંગ્લાદેશ વિરુદ્ઘની ટેસ્ટ મેચમાં આંગળી પર થયેલી ઇજાથી હજુ ઠીક થઇ રહ્યો છે. પ્રશ્ચિમ બંગાળમાં મંગળવારના જ રણજી ટ્રોફીમાં પોતાની મેચમાં હૈદરાબાદને ૩૦૩ રનથી હરાવ્યુ હતુ.
બંગાળના કોચ અરૂણ લાલે મેચ પછી કહ્યુ કે, રિદ્ઘિમાન સાહા રવિવારથી દિલ્હી વિરુદ્ઘ થનારી મેચ માટે ઉપલબ્ધ રહેશે. મને લાગે છે કે બોર્ડે તેણે રમવા માટે ઇન્કાર કર્યો હતો.
કોચે આગળ કહ્યુ કે, આ રિદ્ઘિમાન માટે સારું છે, પરંતુ તેનાથી કોઇ ફરક પડશે નહી. ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પર ૨૧ ફેબ્રુઆરીથી ૨ ટેસ્ટ સીરિઝ રમશે.
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થવાને કરાણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા જ ટીમમાંથી બહાર થઇ ગયો છે. ઇશાંતની આ ઇજા ગ્રેડ ૩ છે, જેના કારણે ઇશાંતને ૬ અઠવાડિયાની સલાહ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ટીમ ઇન્ડિયાની વનડે અને ટી-૨૦ મેચ માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે બોર્ડ તરફથી ટેસ્ટ ટીમની કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
NEWS: India’s ODI squad against New Zealand announced: Kohli (C), R. Sharma (VC), P. Shaw, Rahul, Shreyas, M. Pandey, Pant (WK), S. Dube, Kuldeep, Chahal, Jadeja, Bumrah, Shami, Saini, S. Thakur, Kedar