ઈંગ્લેન્ડ સામેની આગામી બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાએ તેની ટીમની જાહેરાત કરી છે, બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાનાં પ્લેયર્સન જાહેરાત કરવામાં આવી.
વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રીજી ચોથી ટેસ્ટ મેચ રમાશે
સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતે 4 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી છે
બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 4 ટેસ્ટની સિરીઝમાં છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર ટીમમાં ચાર સ્પિનર્સને જગ્યા આપવામાં આવી છે.
TEAM - Virat Kohli (Capt), Rohit Sharma, Mayank Agarwal, Shubman Gill, Cheteshwar Pujara, Ajinkya Rahane (vc), KL Rahul, Hardik Pandya, Rishabh Pant (wk), Wriddhiman Saha (wk), R Ashwin, Kuldeep Yadav, Axar Patel, Washington Sundar, Ishant Sharma, Jasprit Bumrah, Md. Siraj.
વિરાટ કોહલી, રોહિત શર્મા, મંયક અગ્રવાલનો સમાવેશ, શુબમાન ગિલ, પૂજારા, રહાણે, કેએલ રાહુલને ટીમમાં સ્થાન ઋષભ પંત, અશ્વિન, અક્ષર પટેલ, સુંદર, કુલદીપનો સમાવેશ ઇશાંત શર્મા, બુમરાહ, સિરાઝને અંતિમ 2 ટેસ્ટમાં સ્થાન જ્યારે ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ બાદ અમદાવાદમાં ટીમ સાથે જોડાશે.
બીજી ટેસ્ટમાં ભારતે જીત હાંસલ કરી હતી
નિયમિત રીતે ટીમનાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે રહેશે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં બે ટેસ્ટ મેચ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયા હતા. જેમાં પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ અને બીજી ટેસ્ટમાં ભારતે જીત હાંસલ કરી હતી.
અમદાવાદનાં મોટેરામાં રમાશે છેલ્લી બે ટેસ્ટ
અમદાવાદમાં રમાનાર આગામી બે ટેસ્ટ મેચોમાં ત્રીજી ટેસ્ટ ડે નાઈટ મેચ રમાશે જેમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં આ પહેલી ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે જેને લઈને ક્રિકેટ રસિયાઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતે બીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 1-1 સરભર કરી લીધી છે. માટે આગામી મેચમાં રોમાંચ જોવા મળે તેવી શક્યતા ભરપૂર છે.