ગત વર્ષે ભારતીય વિધિ આયોગે મેચ ફિક્સિંગને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જેમ ગુનાહિત ગતિવિધિ બનાવવાની જરૂરીયાત પર જોર આપ્યું હતું. શેખાવતે કહ્યું કે મેચમાં ભ્રષ્ટાચારથી નિપટવા માટે એક બીજી રીત સટ્ટાબાજીને કાયદેસર બનાવવાનો પણ છે.
એન્ટી કરપ્શન યૂનિટના પ્રમુખ અજીત સિંહ શેખાવતે કહ્યું કાયદો બને છે, તો એમાં પોલીસની પણ ભૂમિકા સ્પષ્ટ થશે
ગત વર્ષે ભારતીય લૉ કમિશને મેચ ફિક્સિંગને એક ગુનો બનાવવાની વાત કહી હતી: શેખાવત
બીસીસીઆઇની ભ્રષ્ટાચાર રોધી એકના પ્રમુખ અજીત સિંહ શેખાવતે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારની સમસ્યાથી નિપટવા માટે મંગળવારે મેચ ફિક્સિંગથી જોડાયેલા નિયમ બનાવવા અને સટ્ટાબાજીને કાયદેસર કરવાનું સૂચન આપ્યું. એપ્રિલ 2018માં બીસીસીઆઇની ભ્રષ્ટાચાર રોધી એકમથી જોડતા પહેલા રાજસ્થાન પોલિસના મહાનિદેશક રહી ચુકેલા શેખાવતે સાક્ષાત્કારમાં આ સૂચન આપ્યું.
છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સહિત 12 ક્રિકેટરોના ભ્રષ્ટ સંપર્કની ફરિયાદ કરવા, શંકાસ્પદ ગતિવિધિના કારણે તમિલનાડુ પ્રીમિયમ લીગના શંકાના દાયરામાં આવવા અને એક મહિલા ક્રિકેટરથી સ્ટ્ટાબાજનો સંપર્ક કરવાની ફરિયાદ કર્યા બાદ શેખાવતે આ સૂચન આપ્યું.
આ વર્ષે મુંબઇ, કર્ણાટક અને તમિલનાડુના લોકોથી આવેલા ફિક્સિંગ કેસ જોતા, શું દેશમાં મેચ ફિક્સિંગ અથવા સ્પોટ ફિક્સિંગને રોકવી અશક્ય થઇ ગયું છે? આ પ્રશ્નના જવાબમાં શેખાવતે કહ્યું કે એને રોકવી અશક્ય નથી. એમાં શક્ય છે એમાં વિરુદ્ધ કાયદાની જરૂર છે, મેચ ફિક્સિંગ કાયદો. જો એની વિરુદ્ધ સ્પષ્ટ કાયદો હશે તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ હશે.
ગત વર્ષે ભારતીય વિધિ આયોગે મેચ ફિક્સિંગને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જેમ ગુનાહિત ગતિવિધિ બનાવવાની જરૂરીયાત પર જોર આપ્યું હતું. શેખાવતે કહ્યું કે મેચમાં ભ્રષ્ટાચારથી નિપટવા માટે એક બીજી રીત સટ્ટાબાજીને કાયદેસર બનાવવાનો પણ છે. એમને કહ્યું કે સટ્ટાબાજીને કાયદેસર બનાવવા પર વિચાર કરી શકાય છે. કારણ કે જે પણ ગેરકાયદે ગતિવિધિઓ થઇ રહી છે એ તમામને નિયંત્રિત કરવામાં આવી શકે. કાયદેસર સટ્ટાબાજીના કેટલાક માપદંડો અંતર્ગત થાય છે અને એને નિયંત્રિત કરવામાં આવી શકે છે.
ભારતીય પોલીસ સેવાના આ સેવાનિવૃત્તિ અધિકારીએ કહ્યું કે એનાથી સરકારને એટલી જ વધારે આવક મળશે, જે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને મળે છે. મેચ પર સટ્ટાબાજી પર જે રકમ મળે છે એ ખૂબ મોટી છે. શેખાવતે કહ્યું આ રીતે એનાથી જોડાયેલા લોકો અને સાથે જ પૈસા પર પણ નજર રાખી શકાય છે.
એમને કહ્યું કે માત્ર આવક જ નહીં પરંતુ અન્ય મુદ્દા સરકારના દિમાગમાં હોઇ શકે છે. હું એવું નથી કહી રહ્યો કે એને કાયદેસર કરવામાં આવે, પરંતુ એની પર વિચાર કરવો જોઇએ. શેખાવતે કહ્યું કે એક વખત કાયદેસર કર્યા બાદ તમને એ આંકડા પણ મળી જશે, કોન સટ્ટાબાજી કરી રહ્યું છે અને કેટલી સટ્ટાબાજી કરી રહ્યું છે.